SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬]. સમ્યગુદશન-૧ તે જ સાચું છે અને તે જ શંકારહિતપણે માનવા ગ્ય છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ પ્રરૂપેલું છે.”—આવી માન્યતા રૂપ જે શુભ પરિણામ, એને સમ્યકત્વ કહેવામાં આવે છે. આવી આસ્તિતાને સમ્યક્ત્વનું કાર્ય પણ ગણી શકાય અને આવી આસ્તિક્તા પેદા થતાં થતાં સમ્યક્ત્વ રૂપ પરિણામ પ્રગટે એવું પણ બની શકે અને એથી આવા પ્રકારની આસ્તિકતાને સમ્યક્ત્વનું કારણ પણ કહી શકાય. શુદ્ધ આસ્તિક્યની વિચારણામાંથી શંકાનિવારણ આવા પ્રકારની શુદ્ધ આસ્તિકતા જ્યાં સુધી બની રહે છે અને આવા પ્રકારની શુદ્ધ આસ્તિકતાના ભાવમાં જીવ જ્યાં સુધી રમ્યા કરતે હોય છે, ત્યાં સુધી શ્રી જિનેક્ત તત્ત્વસ્વરૂપના વિષયમાં એને શંકા ઉદ્દભવતી નથી. ન સમજાય તે સમજવાને મથ્યા કરે અને સમજવાને માટે અથવા તે સમજને વિશદ બનાવવા માટે એ શંકા કરીને સમાધાન મેળવે-એવું પણ બને; પરન્તુ માને કે—કેઈ વિષયમાં પૂરતું સમાધાન મળ્યું નહિ અથવા તે જે સમાધાન મળ્યું તે સમાધાના પિતાને બુદ્ધિગમ્ય બન્યું નહિ, તે પણ એના અંતઃકરણમાં શંકાને એ ભાવ પ્રગટે જ નહિ કે-“શ્રી જિનેશ્વરદેવે કહેલું આ સાચું હશે કે બેટું હશે ?” શ્રી જિનેશ્વરદેવે આ કહ્યું છે, એટલે આ સાચું તે ખરું જ-એમ જ એને થાય. શુદ્ધ આસ્તિકતાના યોગે, શ્રી જિનવચન સાચું હશે કે બેટું હશે-એ સંદોહ પણ પેદા થાય નહિ. જે કઈ વખતે જીવને મેહવશ શ્રી જિનવચનમાં શંકા પણ પેદા થઈ જાય, તે પણ શુદ્ધ આરિતકતાને આ ભાવ તે શંકાને કાઢી નાખવાનું સામર્થ્ય ધરાવે છે. એ વખતે એ જીવ જે માત્ર વિચાર કરે કે-“આ વચનને કહેનાર કેણ? શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ! પાછા કેવા ? જીવ માત્ર ઉપર ઉપકાર કરવાના જ ભાવથી જેમણે શ્રી તીર્થંકર-નામકર્મને ઉપાજેલું એવા ! એવા તારકેના વચનમાં અતથ્યને અંશ હોઈ શકે જ નહિ. ત્યારે, જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy