SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનને સૂર્યોદય [૩૧૫ આવા કેમળ અત:કરણવાળે અને દયા બને છા, એ. દુખી જીવના દુઃખનું નિવારણ થવા પામે એ પૂરતી પિતાથી શકw અને ઉચિત એવી પ્રવૃત્તિ કરે, એથી એને પાપ લાગે, એમ પણ કહી શકાય ખરું? ત્યાં, એ દુખી જીવ પહેલાં શું કરતે હતે અગર પછી શું કરશે–એને વિચાર નથી, પણ એના વર્તમાનકાલીન દુ:ખ પૂરતો જ વિચાર છે અને પ્રવૃત્તિ પણ એ પૂરતી જ છે. એવી પ્રવૃત્તિ કરનારને એમ નથી થતું કે-“આ દુખી જીવ દુઃખમુક્ત બનીને પાપપ્રવૃત્તિને આદરે તે સારું ! એ દુખી જીવ દુઃખમુક્ત બનીને પાપપ્રવૃત્તિને આદરવાને સમર્થ બને, એવી ઈચ્છા સરખી પણ ત્યાં નથી. એથી ઊલટું એ પણ ભાવ હેવાને સંભવ છે કે-આ જીવ હવે પાપપ્રવૃત્તિને આદરે નહિ તે સારું, કે જેથી આ જીવને ભવિષ્યમાં દુઃખી થવું પડે નહિ.” એટલે, જેઓ નિષ્પક્ષપાતપણે અનુકશ્માના ભાવવાળા બને છે અને એ ભાવે જેઓ પિતાથી શક્ય અને ઉચિત એવી પ્રવૃત્તિ, દુઃખીઓના વર્તમાનકાલીન દુઃખને નિવારવાના જ એક માત્ર હેતુથી કરે છે, તેઓ પાપ બાંધે છે–એમકહેનારાએ જ, એમ કહીને ઘેર પાપ ઉપજે છે. શ્રી જિનવચનના નામે. દયા–દાનનો નિષેધ કરનારાઓ કેવાં કેવા પાપોને ઉપજે છે? દીન-દુઃખીઓની અનુકમ્પાને નિષેધ કરે, એ જ ભયંકર પાપ છે. આંખ સામે દીન-દુખીને જોઈને અનકમ્પાને ભાવ ક્યારે પ્રગટે નહિ? હૈયું કઠેર બન્યા વિના, ક્રૂરતા આવ્યા વિના, દીન-દુઃખીને. જોઈને અનુકમ્પાને ભાવ પ્રગટે નહિ–એવું બને ખરું? તમે એવા માણસેને શોધી કાઢે કે જેઓને દુખી જીવને જોતાં અનુકશ્માને ભાવ પ્રગટ ન હોય અને પછી એમનો પરિચય કરો, તે તમને લાગશે કે–એવાઓનું હૈયું કે મળ નથી, પણ કઠેર છે. તમે તમારા પિતાના ઉદાહરણથી પણ કદાચ અનુમાન કરી શકશે તમારા હૈયામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy