SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] સમ્યગૂદન૧ નિર્વેદ - નિર્વેદ, એ સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. જીવ માત્રને સુખ ગમે છે અને દુખ નથી ગમતું, એ નક્કી વાત છે; અને, અણગમતું દુઃખ આવી આવીને પટકાયા કરે તથા ગમતું સુખ દૂર દૂર ભાગ્યા કરે, એવું તે સંસારી જીને વારંવાર અનુભવાય છે. દુઃખને નિવારવાને મથે, ત્યારે દુઃખ ઊલટું વધે અને સુખનાં ફાંફાં મારે ત્યારે સુખ ભાગવા માંડે, આવું આ સંસારમાં બહુ બહુ બને છે. તમનેય “રળવા ગયા છે અને બેઈને રેતા આવ્યા છે, એ અનુભવ પણ થયે હશે! એક અણગમતાને દૂર હડસેલવા જતાં, એ અણગમતું પણ ચીપડ્યું રહે અને નવું અણગમતું આવી મળે, એવું પણ બન્યું હશે ! એવા વખતે પણ તમે એના કારણને (એના માત્ર પ્રત્યક્ષ કારણને જ નહિ, પણ એના મૂળ કારણને) વિચાર કરવાને નિરાંતે બેઠા છે ખરા ? મોટા ભાગે નહિ, કારણ કે-ગમે તેટલી નિરાશા મળે તેય આશા ભરતી નથી. નિરાશા મળે, દુઃખ ઊપજે, પણ પાછું થાય કે-“હવે આમ નહિ, પણ તેમ કરું !” એમ વારંવાર થપાટ પડે, તે પણ જીવ થાકે છે ખરો? મોટે ભાગે નહિ ! આ વગર થાકયે થતે પુરુષાર્થ મેક્ષને માટે અવશ્ય કરવા જેવો છે અને જે એ અદમ્ય પુરુષાર્થ મેક્ષને માટે કરાય, તે એથી કદી પણ નિરાશા સાંપડે નહિ અને કદી પણ આશા જન્મ નહિ–એવી અવસ્થાને પામી શકાય પરંતુ જીવ મેટે ભાગે મેક્ષની સાધનાની વાતમાં તે થોડા પુરુષાર્થમાં જ થાકી જાય છે. આવું કેમ અને છે? સંસારથી એ થાક્યો નથી માટે! જ જ્યાં સુધી દુઃખના મૂળભૂત કારણને વિચાર કરતે નથી, ત્યાં સુધી તે સંસારથી થાક જ નથી. જીવને પોતાને ખ્યાલ આવે છે એ કે હું કેટલો બધે પરાધીન છું? સુખ ગવવાનું મારે, દુઃખ ભેગવવાનું મારે, પણ મારું સુખ કે મારું દુખ મારે આધીન નહિ જે તમારુ સુખ-દુખ તમારે આધીન હોય, તે તમે જેટલું દુઃખ ભોગવે છે, તે ભેગવે ખસ? અને, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy