SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ &૦] સમગ્ગદર્શન નિર્વેદને લાભ થાય છે, નિર્વેદને લાભ થયા પછી એને સંવેગને લાભ થાથ છે અને સંવેગને લાભ થયા પછી એને ઉપશમને લાભ થાય છે. * સમ્યગ્દષ્ટિ આત્માને માટે આ પાંચ લક્ષણેના લાભનો ક્રમ આ પ્રકારને હોવા છતાં પણ, શાસ્ત્રકાર પરમર્ષિએ કેટલીક જગ્યાએ પહેલાં ઉપશમનું, પછી સંવેગનું, પછી નિર્વેદનું, પછી અનુકંપાનું અને તે પછી આસ્તિષનું જે વર્ણન કર્યું છે, તે પશ્ચાનુ પૂર્વ કમથી કર્યું છે, અને તેમ કરવાનું કારણ દર્શાવતાં, પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે–આસ્તિક્ય કરતાં અનુકંપની પ્રધાનતા છે, અનુકંપા કરતાં નિર્વેદની પ્રધાનતા છે, નિર્વેદ કરતાં સંવેગની પ્રધાનતા છે અને સંવેગ કરતાં પણ ઉપશમની પ્રધાનતા છે. આ ઉપરથી કેઈએ એમ માનવાનું નથી કે–સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં પૂર્વે, સમ્યગ્દર્શનને પામનાર જીવમાં આસ્તિયાદિ હતાં જ નથી. સમ્યગ્દર્શનને પામનારા જીવમાં બીજ આદિના કાળમાં પણ આંશિક આસ્તિક્યાદિ હોઈ શકે છે, પણ સમજવાનું એ છે કે – સમ્યગ્દર્શન ગુણને પામ્યા પછીથી એ આસ્તિયાદિ જેવાં વિશિષ્ટ પ્રકારનાં હોય છે, તેવાં તે સમ્યકત્વને પામ્યા પહેલાં હેતાં નથી. સમ્યકત્વનાં આ પાંચ લક્ષણેના સ્વરૂપને બરાબર સમજી લઈને, જે એની વિચારણા કરવામાં આવે, તેમ જ તેને આચરણમાં ઉતારવાનો પણ જે શક્ય પ્રયત્ન કરવામાં આવે, તે એ રીતે પણ જીવ અપૂર્વકરણને અને તે દ્વારા રાગ-દ્વેષના ગાઢ પરિણામરૂપ ગ્રંથિને ભેટીને અનિવૃત્તિકરણને તથા તે દ્વારા સમ્યગ્દર્શન ગુણને પણ પામે, એ સુશક્ય છે. સમ્યકત્વનાં પાંચ લક્ષણેને આ રીતે અભ્યાસ કરવામાં આવે, તે પણ ભવ્ય જીવોને સમ્યગ્દર્શન ગુણપ્રાપ્તિને જિલા જરૂર સફળ નીવડે. જે પુણ્યાત્માએ સમ્યગ્દર્શન ગુણના અહમ, તેઓએ આ અવશ્ય કરવા યોગ્ય છે, અને જે પુરૂયાત્સાએને સમ્યગ્દર્શન ગુણનું મહત્વ રૂચી જાય છે, તેમાં સમ્યગદર્શન - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy