SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય આવે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભવદુઃખની વેદનાથી રહિત બની જાય છે. સમ્યગ્દર્શન ગુણના ગે આત્મામાં સાચી સમજ પ્રગટે અને સમતાભાવ પણ પ્રગટે, એટલે હજુ તેને ભવનું દુઃખ હોવા છતાં પણ, તે તેને વેદના ઉપજાવી શકતું નથી. શારીરિક દુઃખ આવે ત્યારે મારું અશુભ કર્મ ક્ષીણ થાય છે.”—એ વાત જેને હૈયે રમતી રહે છે, તેને કારમું અશાતાજનિત દુઃખ પણ વેદના ઉપજાવે શી રીતે ? - અહીં કોઈને એવી શંકા ઉદ્દભવે કે–સમ્યગદર્શન ગુણ પ્રગટે એટલે તે માત્ર અનંતાનુબંધી કષાને જ ઉદયાભાવ હોય, પણ પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન એ ત્રણ પ્રકારના કષાયના ઉઢયને અભાવ તે હેય નહિ ? એટલે સમ્યગ્દષ્ટિમાં આ ઉપશાંત ભાવ આદિ ઘટે શી રીતે ?” એના સંબંધમાં શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ વિચાર કરતાં સમ્યગ્દષ્ટિ આત્માને માટે આ ઉપશાંત ભાવાદિની વાત બરાબર ઘટી શકે છે. કારણ કે–આવા પ્રકારના ઉપશાંત આદિ ભાવેના પ્રકટીકરણ માટે પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંવલનના કષાયેના ઉદયાભાવની (અનુદયની) અપેક્ષા રહેતી નથી, પરંતુ માત્ર અનંતાનુબંધી કષાયને જ ઉદયાભાવની અપેક્ષા રહે છે. પાંચ લક્ષણેના લાભને કમ : આરિતક્ય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને ઉપશમ એ પાંચને શ્રી જૈનશાસનમાં સમ્યગ્દર્શન ગુણનાં લક્ષણ તરીકે વર્ણવેલ છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્મામાં આ પાંચેય લક્ષણે સંભવિત છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને આ પાંચ લિક્ષણે પિકી. આસ્તિક્યને લાભ પહેલે થાય છે, આસ્તિયને લાભ થયા પછી એને અનુકંપાને લાભ થાય છે, અનુકંપાને લાભ થયા છો એને સ. ૧૯ '. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy