SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] સમ્યગૂદન-૧. માન્યતા એવી હોય છે કે વિષય અને કષાયથી જન્ય સુખ, એ વસ્તુતઃ સુખ જ નથી અને એથી તે એક માત્ર મેક્ષસુખને જ વાસ્તવિક સુખ માનીને, મેક્ષ સિવાયની કોઈ પણ વસ્તુની પ્રાર્થના કરતો નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલો આત્મા સંસારથી નિર્વેદને પામેલો હોય છે. સંસારની ચાર ગતિઓ પૈકીની કોઈ પણ ગતિમાં રહેવાની ઈચ્છા, એનામાં હોતી નથી. માત્ર નરક ગતિ કે તિર્યંચ ગતિમાં રહેવું, એ એને દુઃખરૂપ લાગે છે. એમ નહિ; પણ મનુષ્ય ગતિમાં અને સ્વર્ગ ગતિમાં વસવું પડે તો પણ એ એને વસમું લાગે છે. સંસારને વિષે એનું મમત્વ હોતું નથી. મમત્વરૂપ વિષના વેગથી તે રહિત બને છે અને એથી તેને પંચમગતિ–મેક્ષગતિ સિવાયની કોઈ પણ ગતિની ઈચ્છા જ હોતી નથી. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માની અનુકંપા પણ અસાધારણ કોટિની હોય છે. સમ્યગ્દર્શન ગુણને સ્વામી બનેલ પુણ્યાત્મા, ભયંકર એવા આભવસાગરમાં દુઃખથી પીડાતા પ્રાણિઓના સમૂહને જોઈને, તેઓમાં સ્વ–પરના વિશેષ વિના, પોતાની શક્તિને અનુસારે દ્રવ્યથી અને ભાવથી પણ અનુકંપાને કરનાર બને છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માનું અસ્તિક્ય પણ એવું હોય છે કે-“ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ જે કહ્યું છે, તે જ સત્ય છે અને તે જ નિઃશંક છે. એની આ માન્યતા શંકા અને કાંક્ષાદિ દોષોથી પણ રહિત હોય છે. સમ્યગ્દર્શન ગુણને પામેલે પુણ્યાત્મા પોતાનાં કર્મોના તેવા પ્રકારના ક્ષપશમ ભાવના વેગે આ ઉપશાંત, સંવેગયુક્ત, નિવેદવાળે, અનુકંપાશીલ અને આસ્તિક બને છે અને એથી તે મેહનીય કર્મના યોગે થતી વેદનાથી રહિત દશાને અનુભવ કરનારો બને છે. વ્યાધિની ક્ષીણુતાથી રોગી માણસની વેદનાને જેમ અંત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy