SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનનો સૂર્યોદય [ ૨૮૭ વાત જેમ સહેલાઈથી સમજાય તેવી છે, તેમ કેવળ બાહ્યાચારમાં જ સર્વસ્વ માનનારને આ વાત સમજાય નહિ, એ પણ સુશક્ય છે. સમ્યગ્દશન ગુણની પ્રાપ્તિના યોગે આત્મામાં પ્રગટતાં તેનાં પાંચ લક્ષણે ઃ શાસ્ત્રોમાં સમ્યક્ત્વના વ્યવહાર અને નિશ્ચય તથા દ્રવ્ય અને ભાવ-એમ વિવિધ ભેદો વર્ણવવામાં આવ્યા છે. નિશ્ચય સમ્યકત્વની અપેક્ષાએ શાસ્ત્રકાર પરમષિએ સમ્યકત્વનાં પાંચ લક્ષણનું પણ સુંદર વર્ણન કર્યું છે. સમ્યગ્ગદર્શન ગુણને પામે પુણ્યાત્મા એવા ઉપશાંત ભાવને પામે છે, કે જેના યોગે તે કઈ પણ સંયોગોમાં પિતાને અપરાધ કરનારને વિષે પણ કોપને કરતે નથી. પિતાને ગમે તે અપરાધ કેઈએ કર્યો હોય, તે છતાં પણ “તેનું પ્રતિકૂળ થાઓ. એવે વિચાર સરખે પણ તેના હૈયામાં ઉદ્દભવતું નથી. ક્રોધને કાબૂમાં એ હેતે નથી, પણ કોઈ એને કાબૂમાં હોય છે. એને કર્મોના સ્વરૂપનું જ્ઞાન હોય છે અને કર્મોને વિપાક કે અશુભ છે તે પણ જાણતે. હોય છે, એટલે પોતાના અપરાધી પ્રત્યે પણ એ ક્ષમાશીલ રહી શકે છે. એ રીતે એ આત્મા પિતાને પોતાનાં કર્મોની નિર્જરા દ્વારા ઉપકાર કરે છે તેમજ અપરાધીની દયા ચિન્તવીને તેના ઉપર પણ ઉપકાર કરે છે. સમ્યગ્દર્શન ગુણને પામેલા પુણ્યાત્માને સંવેગ પણ અનુપમ કેટિને હોય છે. એનું અંતર જે પ્રાર્થના કરતું હોય, તે એક માત્ર મિક્ષને માટે જ પ્રાર્થના કરતું હોય છે. એક મેક્ષને અને મેક્ષના સાધનેને છેડીને બીજી કોઈ પણ વસ્તુ એને પ્રાર્થના કરવા લાયક લાગતી જ નથી. મોક્ષનું સુખ, એ જ એક સાચું સુખ છે અને એ સિવાયનું કોઈ પણ સુખ, એ વસ્તુતઃ સુખ જ નથી પણ દુઃખરૂપ છે, એવી એની સજજડ માન્યતા હોય છે. માત્ર મનુષ્ય લોકનાં સુખને જ એ દુઃખરૂપ માનતે હોય છે, એમ નથી; પણ ઈન્દ્રાદિકના * દેવકનાં સુખને પણ એ દુખ રૂપ જ માનતે હોય છે. એની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy