SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦] સમ્યગદર્શન-૧ જેને એના એ મિથ્યાત્વ મેહનીયના પુંજ તરીકે ઓળખાય છે. આ ત્રણ પુજે પૈકીના શુદ્ધ એવા સમ્યકત્વ મેહનીયન પુજને જ એ જવ અનિવૃત્તિકરણ દ્વારાએ ઉદયમાં લાવે છે અને એ શુદ્ધ પુંજ રૂ૫ સમ્યકત્વ મેહનીયને જે ઉદય, તેની અસરવાળે જીવને જે પરિણામ, એ જ ક્ષાપશમિક સમ્યકૃત્વ રૂપ આત્મપરિણામ છે. એટલે, કે અપૂર્વકરણ દ્વારાએ કરેલા ત્રણ પુંજમાંથી જે શુદ્ધ પુંજને ઉદયમાં લાવવાનું કામ અનિવૃત્તિકરણ દ્વારાએ કર્યું, તે અનિવૃત્તિકરણને એ કાળ પૂરો થતાં જ, પહેલા જ સમયે, સમ્યક્ત્વ મેહનીય નામના પ્રશસ્ત કર્મના વેદનરૂપ ક્ષાપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. અનુવેદના આદિથી સમ્યત્વનું સમુત્થાન ક્ષાપશમિક સમ્યક્ત્વનું ત્રણ પ્રકારની પ્રક્રિયા દ્વારા સમુથાન થાય છે. પ્રશસ્ત એવા સમ્યક્ત્વ મોહનીયનું અનવેદન, મિથ્યાત્વ મિહનીય કર્મને ઉપશમ અને તેને ક્ષય આ ત્રણ પ્રકારની એ પ્રક્રિયા છે. મૂળ જે દળિયાં મિથ્યાત્વ મેહનીયનાં જ હતાં, તે દળિયાઓ પૈકીનાં અમુક દળિયાંઓને શુદ્ધ કરી નાખ્યાં છે. અને એ જ દળિયાં ઉદયમાં આવે તેવું કર્યું છે. એ શુદ્ધ દળિયાંના પુંજને સમ્યક્ત્વ મેહનીયને પુંજ કહેવાય. મિથ્યાત્વ મેહનીય કર્મ એ અપ્રશસ્ત કર્મ છે. પણ જ્યારે તેનાં દળિયાં સમ્યક્ત્વ મેહનીયના સ્વરૂપને પામી જાય છે, ત્યારે એ શુદ્ધ દળિયાંઓના સમૂહરૂપ કર્મને અપ્રશસ્ત કર્મ કહે છે. એ કમને ઉદય અથવા તે એ કર્મનું અનુવેદન આત્માને લાભ જ કરે છે, પણ હાનિ કરતું નથી, અને એથી જ એ કમને પ્રશસ્ત કર્મ કહેવામાં આવે છે. આ રીતે પ્રશસ્ત કર્મનું અનવેદન થઈ શકે તે માટે, અપ્રશસ્ત કર્મ, કે જે આ વિષયમાં મિથ્યાત્વ મેહનીય કર્મ અને મિશ્રમેહનીય કર્મ કહેવાય છે, તેના ઉદયને જીવે અટકાવ્યા હોય છે. એ રીતે ઉદયને અટકાવ, એને પણ ઉપશમ કહેવાય છે. ઉપરાંત મિથ્યાત્વ મેહનીયનાં દળિયાં પિતાના અશુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy