SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૬૯ કે-આ રાગ, એ જ મારો મોટામાં મેટો દુશ્મન છે. આ સુન્દર ખ્યાલ આવી જાય અને એથી જે એમ થઈ જાય કે-વિષયની અને કષાયની અનુકૂળતા રાગ તજવા ગ્ય જ છે.” તે અપૂર્વકરણ છેટે રહી શકે જ નહિ. આ સુન્દર ખ્યાલ પેદા થવાથી એ પરિણામ પેદા થયા વિના રહે નહિ, કે જેના વડે રાગ-દ્વેષનું ગાઢપણું ભેદાઈ જાય. જીવને એમ પણ થઈ જાય કે-“મારે હવે એવી દશાને પ્રાપ્ત કરવી જોઈએ, કે જેથી મારામાં રાગ પણ રહે નહિ અને છેષ પણ રહે નહિ.” એમાંથી “હું વીતરાગ બનું! ”—એવા ભાવવાળે પરિણામ જમે. રાગ-દ્વેષના યોગમાં જીવને વસ્તુતઃ સુખ છે જ નહિ પણ દુઃખ જ છે અને રાગ-દ્વેષ એ દુઃખનું જ કારણ છે.એમ લાગી જાય, એટલે વીતરાગ બનવાની ઈચ્છા પ્રગટ્યા વિના રહે ખરી ? એના યોગે, વીતરાગ બનવાના ઉપાય રૂપ ધર્મ ઉપર રાગ પ્રગટે અને વીતરાગ બનવામાં અન્તરાય કરનાર પાપ ઉપર ઠેષ પ્રગટે. રાગ-દ્વેષ એ કેવળ નુકસાનકારક જ છે, હેય જ છે અને એથી મારે એ રાગ-દ્વેષ જોઈએ જ નહિ. –આવા પ્રકારને જે પરિણામ, એને અપૂર્વકરણ તરીકે ઓળખી શકાય. અપૂર્વકરણથી ગ્રંથિ ભેદાય છે અને અનિવૃત્તિકરણથી સમ્યગદર્શન પમાય છે? જે ભવ્ય આત્માઓ યથાપ્રવૃત્તિકરણને પામે છે તેઓમાં જ્યાં સુધી અપૂર્વકરણ પ્રગટે નહિ, ત્યાં સુધી તેઓ યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા હોય છે. સમ્યકત્વ રૂપ શુદ્ધધર્મના બીજ આદિની પ્રાપ્તિ પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ થાય છે, જીવ ગ્રંથિદેશને પણ યથાપ્રવૃત્તિકરણ દ્વારા પામે, તે પછી દ્રવ્યકૃત તથા દ્રવ્યચારિત્રને પામે તે પણ તે યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ પામે છે. અને ચરમાવતને પામેલે જીવ સમ્યક્રય રૂપ શુદ્ધ ધર્મના બીજા દિને પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy