SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] સમ્યગ્દર્શન-૧ વિષય-કષાયની અનુકુળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને તજવાને ભાવ અપૂર્વ કરણમાં હાય જ અપૂર્વ કરણને પ્રગટાવવાને માટે, જીવે, વિષયની અનુકૂળતાને જે રાગ છે અને કષાયની અનુકૂળતાને જે રાગ છે, તે રાગ કેટલા બધા ભૂડા છે, તે રાગ કેટલા બધા નુકસાનકારક છે, એના વિચાર કરવા જોઈ એ.જીવ જે વિચાર કરે, તો લાગે કે-હિંસાદિક પાપાનુ' મૂળ, જીવના વિષયની અને કષાયની અનુકૂળતાને રાગ છે. નવા પ્રાયઃ પાપને પણ એ જ માટે આચરે છે અને જીવા પ્રાયઃ દુઃખને એ માટે જ વેઠે છે. તમે હિંસાદિક જે જે પાપાને આચરતા હૈ!, તે તે સ પાપાને યાદ કરી જુએ અને પછી વિચાર કરેા કે–એ પાપાને તમે જે આચર્યા અથવા તે! એ પાપાને આચરવાનું તમને જે મન થયું, તે શાથી બન્યું ? તમે જો સમજપૂર્વક વિચાર કરી શકશે, તે તમને પ્રાયઃ એમ જ લાગશે કે- મારામાં જે વિષય-કષાયની અનુકૂળતાને રાગ ન હેાત, તે! હું આમાંના કોઈ પાપને આચરવાનું મન કરત નહિ; અથવા, આમાંના કોઈ પાપને અચરત નહિ !’ એ જ રીતે, તમે દુઃખ પણ વેઠી છે, તા તમે વિચાર કરા કે–તમને દુઃખ વેઠવું ગમે છે ? ના. વસ્તુતઃ તમને દુઃખ વેઠવું ગમતું નથી, પણ વિષય-કષાયની અનુકૂળતાના રાગને કારણે, એ રાગ સફલ અને એ હેતુએ, તમને દુઃખ વેઠવું પણ ગમે છે. તમારામાં જે દ્વેષભાવ છે, તે પણ શાને આભારી છે ? વિષય-કષાયની અનુકૂળતા તરફના તમારા રાગને જ ને ? વિષય-કષાયની અનુકૂળતાને રાગ પાપ કરાવે, દુઃખ વેઠવાની ફરજ પાડે અને કરેલા પાપને પરિણામે પણ જીવ દુઃખી જ થાય. વિષય-કષાયની અનુકૂળતાના આવા રાગ ઉપર અને એ રાગના યેાગે પ્રગટતા દ્વેષ ઉપર, નફરત ન આવે ? એમ થઈ જવુ જોઈ એ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy