________________
[ ૯
મિથ્યાત્વને ગાઢ અંધકાર
એ એમના હૈયામાં કેટલું બધું વસેલું હતું ? આપણે ભૂલ કરીએ ત્યારે કેઈ આપણે મશ્કરી કરે, તે આપણુથી તે ખમાય? એમ થાય કે-ભૂલ તે મારી છે; મને આટલું પણ નથી આવડતું, માટે મારી મશ્કરી કરે છે ને ?
સવ પણ મશ્કરી કરાય ખરી?
મશ્કરી કરનારે મશ્કરી નહિ જ કરવી જોઈએ. એમ કહેવાય, પણ આપણે તે માત્ર સામાના કર્તવ્યને નિર્ણય કરવાને તૈયાર છીએ ને? આપણા કર્તવ્યને વિચાર આપણે કરીએ છીએ ખરા? આપણે આપણું કર્તવ્યને વિચાર કરીએ, તેમાં આપણને વધારે લાભ થાય કે આપણે આપણું કર્તવ્યનો વિચાર નહિ કરતાં, માત્ર પારકા કર્તવ્યને જ વિચાર કરીએ, એથી લાભ થાય? એવા વખતે, પારકા કર્તવ્યને વિચાર કરે, તે પ્રાયઃ સામા ઉપર રોષ આવ્યા વિના રહે નહિ; અને ઉપશાન્ત ભાવને જાળવવાનો ઉપાય જ છે કે પોતાના કર્તવ્યનો વિચાર કર.
એ પિતાની ભૂલ કઈ બતાવે તો રાજી થતા, પણ આપણને આપણું ભૂલ કેઈ બતાવે, તે તે સાંભળવાને તૈયાર ખરા ? એમનું જ્ઞાનાવરણીય કર્મ એટલું ગાઢ હતું કે મારા અને માતુષ એટલું પણ યાદ ન રહે; પણ બીજી યોગ્યતા એમનામાં ઘણું મટી હતી, એટલે એ બરાબર પરિશ્રમ કરી શક્યા અને એમણે પિતાને પરિશ્રમના બલથી, વીતરાગ બનીને સર્વજ્ઞપણાને પણ પેદા કર્યું !
અજ્ઞાન રહેવું ગમે-એય મિથ્યાત્વ છે : અજ્ઞાન પણ જે જ્ઞાની બનવાને પ્રયત્ન કર્યા કરે તે તે જરૂર જ્ઞાની બની શકે; તત્ત્વના સ્વરૂપને સમજાતું ન હોય, તે પણ આત્મા જે માર્ગાનુસારી બની જાય અને માર્ગાનુસારી બનીને સાચા જાણકારને અનુસરતે થઈ જાય તે તરી જાય. જેમ મિલને ચલાવનાર તે એકાદ-બે હોય છે, પરંતુ એના કહ્યા મુજબ કામ કરનારા હજારો મજૂરો એની પૂઠે જીવે છે ને ?
વાત એ છે કે–તમે જીવાદિ તના વિષયમાં અજાણું તે છે, પણ તમારું એ અજ્ઞાન તમને ખટકે છે ? જાતે અજ્ઞાન હોય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org