SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદશનને સૂર્યોદય [૨૪૯ પ્રન્થિદેશને પામેલા જીવ માટે પુરુષાર્થને અવસર : તમને તમારી ભાગ્યશાળતાની આ બધી વાત કહીને પણ ભલામણ તે એ જ કરવાની છે કે–તમે તમારી ભાગ્યશાળિતાને હવે સારામાં સારી રીતે સફલ બનાવનારા નીવડે! તમે તમારી આ ભાગ્યશાળિતાને એ સદુપયોગ કરનારા બને, કે જેથી તમારી ભાગ્યશાળતામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા પામે. ગ્રન્થિદેશને પામવા જોગી અને તેની સાથે શ્રી જિનશાસને ઉપદશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામવા જેગી ભાગ્યશાળતાને પામેલા આત્માઓ, જે ધારે તે પુરુષાર્થને ફેરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણને પ્રગટાવવાને સમર્થ બની શકે, એવો આ અવસર છે. આવી ભાગ્યશાળિતાને પામેલાઓને માટે, એટલે કે-રસ્થિદેશે આવીને દ્રવ્યથી શ્રી જિન ધર્મના આચરણને પામેલા આત્માઓને માટે, પુરુષાર્થને આ અવસર છે, એમ કહી શકાય. અહીં એવું છે કે–અહીં આવેલે જે કઈ જીવ પુરુષાર્થ કરવાને તત્પર બને અને પુરુષાર્થને ફેરવે, તે જીવ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરતાં તેણે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિશે પહોંચવા જેગી અવસ્થા, એ કાંઈ એવી અવસ્થા નથી" કે–જે કઈ જીવ એ અવસ્થાને પામે અને એ અવસ્થાને પામીને એ અવસ્થાએ એ અવસ્થાની કલમર્યાદા સુધી ટકી પણ રહે, તે જીવ પ્રગતિ જ કરે. સમ્યગ્દર્શન ગુણની વાત જુદી છે. સમ્યગ્દર્શન ગુણ એ એ ગુણ છે, કે જે ગુણને પામેલે જે એ ગુણને વમે નહિ અને એ ગુણમાં ટક્યો જ રહે, તે એ નિયમ પ્રગતિને સાધનારો બને; જ્યારે ગ્રન્થિદેશની અવસ્થા એ એવી અવસ્થા નથી. ગ્રથિદેશે આવેલ છવ, વધુમાં વધુ અસંખ્યાત કાલ સુધી ગ્રથિદેશે ટકી રહે એ બને, પણ એટલા કાલ પર્યત ગ્રન્થિશે બરાબર ટકી રહેલો જીવ પ્રગતિ જ સાધે, એ નિયમ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy