SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] સમ્યગુદર્શન-૧ પ્રમાણ સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું નથી, એટલે, આયુષ્યકર્મ સિવાયનાં સાતે કર્મોની એથી જે અધિક સ્થિતિ, તે તે નિયમ ક્ષીણ થઈ જવા પામેલી છે. બીજી ભાગ્યશાળિતા એ છે કે-જેમ કર્મ સ્થિતિ લઘુ થઈ જવા પામેલી છે, તેમ જે નવાં કર્મોને સંચય થાય છે, તે કર્મો પણ એક કટાકેટિ સાગરોપમની કે એથી અધિક સ્થિતિનાં હતાં જ નથી, પણ એથી ઓછી સ્થિતિનાં જ હોય છે. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે-તમને બધાને એટલી કષાયમન્દતા પણ થવા પામેલી છે; અને, એ ત્રીજી ભાગ્યશાળતા છે. પહેલા ગુણસ્થાનકે રહેલા સર્વ જીને કષાયો અનન્તાનુંબંધીની કેટિના જ હોય, પરંતુ એમાં પણ તીવ્રતાની અને મન્દતાની તરતમતા તે હોય જ. જે અનન્તાનુબંધી એવા પણ કષાયે મન્દપણાને પામેલા ન હોય, તે નવાં સંચિત થતાં જ્ઞાનાવરણીય આદિ કર્મો લઘુ સ્થિતિવાળાં હોવાનું બને જ શી રીતે? કર્મોને જે રિતિબંધ અને રસબંધ, તે થવામાં કષાયોને યોગ પ્રાધન્ય ભેગવે છે એટલે, તમે શ્રી જિનશાસને ઉપદેશેલા મૃતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ અમુક અંશે જે આચરણ કરી શકે છે, એથી એમ સિદ્ધ થાય છે કે–એક કટાકેટિ સાગરોપમથી પણ કાંઈક ન્યૂન એવી જ સ્થિતિ, તેથી અધિક સ્થિતિવાળું કઈ જ કર્મ તમે ઉપાર્જતા નથી અને એથી, એ પણ સિદ્ધ થાય છે કે–તમારા કષાયે પણ એટલી મન્દતાને અવશ્ય પામેલા છે. ' આ બધે પ્રતાપ તમને જૈન કુળ મળ્યું છે, એને છે. તમને જે જૈન કુળ ન મળ્યું હોત, તે તમે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મની અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આરાધના કરનારા બનત શી રીતે ? જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત ન જ થાય એવું એકાન્ત કહી શકાય નહિ, પણ જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત થવી, એ મેટે ભાગે તે અસંભવિત ગણાય ને? તમને તમારી આ ભાગ્યશાળિતા, ભાગ્યશાળિતા રૂપે લાગે છે ખરી? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy