SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] - સગૂન-૧ અસંખ્યાત કાલ સુધી ગ્રથિદેશે ટક્યા પછીથી પણ એ જીવ પાછો પડે અને ગ્રશ્વિદેશ યેગ્ય કર્મસ્થિતિથી અધિક કર્મસ્થિતિને એ ઉપાજે, તે એ શક્ય છે. અથવા તે, એમ પણ કહી શકાય કે- ગ્રન્ટિદેશે આવેલ જીવ જે પુરુષાર્થ કરી શકે નહિ અને એથી પ્રગતિ સાધી શકે નહિ, તે એ જીવ છેવટમાં છેવટ અસંખ્યાતકાલે તે પાછા પડ્યા વિના રહે જ નહિ. એટલે, આ અવસરે તમારે ખાસ. સાવધ બની જવા જેવું છે. અહીંથી પીછેહઠ પણ શક્ય છે : વળી, ગ્રથિદેશે આવેલે જીવ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ, એ નિયમ નથી.ગ્રન્થિદેશે આવવા છતાં પણ જીવ, શ્રી જિનશાસને ઉપદેશેલાં શ્રતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનેય પામી શકે નહિ એ પણ બનવાજોગ છે. નિયમ એ છે કે શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનાય આંશિક પ્રકારને પણ તે જ જીવ પામી શકે છે કે જે જીવ ગ્રથિદેશે આવેલ હોય. જ્ઞાનીઓના આવા કથનના આધારે જ, આપણે એ વાત નકકી કરી કે શ્રી જિનકથિત ધર્મનું તમે દ્રવ્યથી પણ જે થોડુંક આચરણ કરી શકે છે, એ. સૂચવે છે કે–તમે ગ્રથિદેશે તે અવશ્ય આવેલા છે. સ્થિદેશે આવીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામેલા જીવો પણ, પ્રગતિ જ સાધે–એવો નિયમ નથી. અભવ્ય અને દુર્ભ પણ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામી શકે છે અને એથી એમ સાબિત થાય છે કે-જીવ, ગ્રન્થિદેશને પામવા છતાં પણ અને. ગ્રથિદેશને પામીને શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત–ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામવા છતાં પણું, પ્રગતિને સાધનારે બને નહિ અને પરિણામે પીછેહઠ કરનારે બને, તે એ પણ શક્ય છે. આથી, એ , , * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy