SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] સમ્યગ્દર્શન-૧ માનતા હો, તે તે વસ્તુને અંગે આ રીતે વિચાર કરી જોજો. તમે જો સારી રીતે વિચાર કરી શકશેા, પરિણામની વિચાર જો તમે કરી શકશેા, તા એથી તમને કદાચ કાઈ નવી દિશા સૂઝવા જેવા ભાસ થશે. કદાચ એમેય થાય કે—આ કાંઈ ખરેખરી ભાગ્યશાળિતા નથી ! પુણ્યથી વિનયાદિક મળે છે. એવા શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા ઉત્તર : સુરસુન્દરીએ જવાબ આપી દીધા પછીથી, રાજાએ શ્રીમતી મયણાસુન્દરીને પણ એ સમશ્યાપાની પૂતિ કરવાનુ કહ્યુ. પોતાના પિતા એવા રાજાની આજ્ઞાને પામીને, શ્રીમતી મયણાસુન્દરીએ પણ એ સમશ્યાપાદની પૂતિ કરી. તત્ત્વસ્વરૂપની જ્ઞાતા એવી શ્રીમતી મયણાસુન્દરીએ, એ સમશ્યાપાદની પૂતિ કરતાં એમ જણાવ્યુ કે· વિનય, વિવેક, મનની પ્રસન્નતા, શીલથી સુનિલ એવા દેહ અને માક્ષમાગ ના મેળાપ, એ બધુ' પુણ્યથી મળે છે.’ શ્રીમતી મયણાસુન્દરીના આ જવાબ, તેની માતાને ખૂબ ગમ્યા; અને તેના પાઠકને પણ ખૂબ ગમ્યા; પણ રાજાને અને રાજસભામાં એકત્રિત થયેલા લાકોને શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા આ જવાબ ગમ્યા નહિ. વાત પણ સાચી જ છે કે-જેને સુરસુન્દરીએ આપેલા જવાબ ગમી ગયા હોય, તેને શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા આ જવાબ ગમે જ શી રીતે? કેવળ ભેગસુખમાં જ અને ભાગસુખનાં સાધનાની પ્રાપ્તિમાં જ આનન્દના અનુભવ કરી શકાય-એવુ` માનનારાઓને અને એથી એના યાગમાં જ આનન્દના અનુભવ કરી શકનારાઓને શ્રીમતી મયણાસુન્દરીના સુન્દર એવા પણ જવાબ ન ગમે, એમાં આશ્ચર્ય પામવા જેવુ કાંઈ છે જ નહિ. રાજા વગેરે લોકોને તા શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા જવાબ ગમ્યા નહિ; પરન્તુ, તમને, શ્રીમતી મયણાસુન્દરીએ આપેલા જવાબ ગમ્યા કે નહિ? આમાં, કેવળ હા કહેવા ખાતર તમે હા કહેા-એના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy