SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ ના અધિકાર [ ૭ વર્ણન કરાએલું છે, આલિંગ્રહિક, અનાભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ, એવા પાંચ પ્રકારોથી પણ મિથ્યાત્વને, ઓળખી શકાય છે. મિથ્યાત્વના આ પાંચેય પ્રકારેને પણ, મિથ્યાત્વના બે પ્રકારોમાં સમાવેશ થઈ શકે છે. સઅજ્ઞાની એ શું મિથ્યાષ્ટિ છે ? અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત, પણ તે જ્ઞાનીની નિશ્રાએ ચાલનારો હોય અને એથી એને જે પોતાની માન્યતાને એવો આગ્રહ ન હોય, કે જેથી એને જ્ઞાની તત્ત્વનું એવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે નહિ, તે એનામાં મિથ્યાત્વ નથી. અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ. અજાણપણાને ટાળવાને પ્રયત્ન ચાલુ રાખે, જ્ઞાનને મેળવવાને જ્ઞાની ગુરુની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને “ભગવાને જે કાંઈ કહ્યું છે, તે જ સાચું છે – આવું મનમાં વિચાર્યા કરે, એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. એવા આત્માઓમાં, તને સ્વરૂપની બાબતમાં સ્વતન્ત નિશ્ચયાત્મકપણું નથી, પણ સદગુરુની નિશ્રાથી તે તેને સુધારવાની તૈયારી પણ છે. એટલે, એવા આત્માઓ મિથ્યાદષ્ટિ નથી; બાકી તો, જેટલા અજ્ઞાન એટલા નિયમ મિથ્યાદષ્ટિ, એમાં શંકાને સ્થાન જ નથી. સમ્યગ્દષ્ટિ આત્માઓને જે જ્ઞાન હોય તે સમ્યફ કેટિનું હેઈને, અલ્પજ્ઞ એવા પણ સમ્યગ્દષ્ટિને મિથ્યાષ્ટિ જેવા અજ્ઞાન કહેવાય નહિ; પરન્તુ વિશેષ જ્ઞાનના અભાવની અપેક્ષાએ એ આત્માઓને પણ અજ્ઞાન કહેવાય, તે એ વાત જુદી છે. મા રુ અને મા સુર એટલું પણ યાદ રહે નહિ, છતાં પરિશ્રમથી સર્વજ્ઞ પાછું મેળવ્યું છે અજ્ઞાને તરવું હોય, તે તેણે સદ્દગુરુને બરાબર પકડીને ચાલવું જોઈએ. જેમ માર્ગથી અજ્ઞાત માણસ પણ, ભુલભુલામણીમાં નાખી દે એવી અટવીનેય લંધીને પિતાને જે સ્થાને પહોંચવું હોય તે સ્થાને પહોંચી શકે છે, પણ તે ક્યારે? માર્ગના જાણકારને અનુસરીને બરાબર ચાલે તો ! માર્ગના જાણકારને સાથે લે અને એ જે દિશામાં ચાલે તે દિશામાં આ ચાલે, તે અજ્ઞાન પણ અજાણ્યા સ્થલમાંથી ધાર્યા સ્થલે પહોંચી શકે. પણ વાત એ છે કે તમને અજ્ઞાનનો ખ્યાલ આવ્યો છે? અજ્ઞાન ખટક્યું છે ? જેને પોતાના અજ્ઞાનનો ખ્યાલ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy