SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] આ સમ્યગદર્શનસ્વભાવે જ એવા છે કે તેઓ ગ્રંથિદેશ આદિને પામે છે, તે પણ તેઓમાં અપૂર્વકરણ પામવા જેગી લાયકાત પ્રગટી શકતી જ નથી. જ્યારે દુર્ભવ્ય જીને કાળની અપરિપકવતા પ્રધાનપણે નડે છે એટલે તેઓ સ્વભાવે મુક્તિ ગમનની એગ્યતાને ધરનારા હોવા છતાં પણ તેઓને થયેલી ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ પણ તેઓમાં અપૂર્વકરણને પામવા જગી લાયકાત પ્રગટાવવાને સમર્થ બનતી નથી. ભવ્ય આત્માઓને માટે પણ ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફળ બની શકે છે કે જ્યારે તેમને ભવિતવ્યતા આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ગ્રંથિદેશને નહિ પામેલ શ્રી નવકારને પણ પામી શકે નહિ? પરમ ઉપકારી મહાપુરુષે ત્યાં સુધી ફરમાવે છે કે જ્યાં સુધી જીવ ગ્રંથિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામતે નથી, ત્યાં સુધી તે જીવ શ્રી નવકાર મહામત્વને અથવા તે શ્રી નવકાર મહામન્ત્રના “નમે અરિહંતાણં' એવા પહેલા પાદને અથવા તે “નમે અરિહંતાણું એ પદના “નને પણ “નમે અરિહંતાણું* એ પાદના “ન” તરીકે પામી શકતું નથી.” જ્ઞાનીઓના આ કથન ઉપરથી ફલિત થાય છે કે-શ્રી નવકારમંત્રને પામી શકે એવી ગ્યતાવાળા જેન કુળમાં જે આત્માઓ જન્મ પામે છે, તેઓ પ્રાયઃ ગ્રંથિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય છે. જે જૈન કુળે જૈન આચારની અને જૈન વિચારની દષ્ટિએ હીનમાં હીન કેટિનાં બની જવા પામ્યા હોય, છતાં પણ એ કુળમાં જે શ્રી નવકાર મંત્રનું સ્મરણાદિ ચાલુ હોય, તે એવાં પણ કુળમાં પ્રાયઃ એવા જ આત્માઓ જન્મને પામે, કે જે આત્માઓની કર્મસ્થિતિ ગ્રંથિદેશને પામવા જેગી લઘુતાને પામેલી હોય. જે કોઈ જીવ “નમે અરિહંતાણું” બેલવાના આશયથી “ન” પણ બેલી શકે, એ જીવ કર્મસ્થિતિની એટલી લઘુતાને પામેલ છે, એટલું તે જ્ઞાનીઓના કથનાનુસારે નિશ્ચિતપણે કહી શકાય. ઉપરાંત, જ્યાં સુધી જીવ “નમે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy