SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનને સૂર્યોદય [૨૩ ગ્રંથિદેશને તથા દ્રવ્યકૃતને અને પ્રચારત્રને પામવા છતાં અપૂર્વ કારણને ન પામનાર જી : આ રીતે ગ્રંથિદેશે આવેલા છે, જે તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય તે યથાપ્રવૃત્તિકરણમાં જ વર્તતા થકા પણ કર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રતને અને દ્રવ્યચારિત્રને પણ પામી શકે છે. એવા કાળમાં કઈ કઈ છે મેક્ષને અષ કેળવવાના ચગે દ્રવ્યથી ઉત્કટ ગણાય એવું સાધુપણું પાળનારા બનીને નવમાં રૈવેયક સુધી પણ પહોંચી શકે છે. ગ્રંથિદેશે આવેલા છ નવપૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. જીવ જ્યાં સુધી ગ્રંથિદેશને પામે નહિ ત્યાં સુધી તે તે આવું પણ કાંઈ જ પામી શકતું નથી. ગ્રંથિદેશે આવેલા છે પૈકીને કઈ કઈ જ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા થકા પણ અધિક અધિક કર્મનિર્જરાને પામતા પામતા, જેવા ઉત્કટ કેટિના દ્રવ્ય સાધુપણાને પાળે છે, તેવા ઉત્કટ કોટિના સાધુપણાને જે શુદ્ધભાવ સહિત પાળવામાં આવે, તે તે મેક્ષ હાથવેંતમાં જ આવી જાય. પણ એક માત્ર શુદ્ધભાવની ખામીના યોગે જ, એ જીવોને, એ સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. એવા જીવને વધુમાં વધુ નવમા ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે. પણ એ દેવલેકમાં ય તે જ પોતાના રાગ-દ્વેષના ગાઢ પરિણામેના પ્રતાપે, ત્યાં જેવા સુખને અનુભવ કરી શકાય તેવા સુખનો અનુભવ કરી શકતા નથી, એટલું જ નહિ, પણ એ કાળમાં એ જી એવાં અશુભ કર્મોને ઉપજે છે, કે જે કર્મો એ એને દુઃખમય સંસારમાં ખૂબ ખૂબ ભમાડનારાં નીવડે છે. આમ અભવ્ય આદિ જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ અને તે પછી જ દ્રવ્યશ્રત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ તે, તે જીવોના સંસાર પરિભ્રમણને નાશ કરવાને માટે કઈ પણ રીતે સમર્થ બની શકતી નથી. ગ્રંથિદેશે આવ્યા પછી જે અપૂર્વકરણને પામવા જેગી લાયકાત જીવમાં પ્રગટે, તે જ ગ્રંથિદેશની અને તે પછીની બીજી પ્રાપ્તિઓની પણ સાચી સફળતા છે. બીચારાં અભવ્ય છે તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy