SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૨૧૩ છે. ક્ષપકશ્રેણિ માંડવા માટે જેમ પ્રથમ સંહનનાદિ સામગ્રી જોઈએ, તેમ છેવટમાં છેવટ ચેાથું ગુણસ્થાનક પણ ક્ષપકશ્રેણિ માંડવા માટે જોઈએ જ. પહેલે ગુણઠાણે રહેલો અનાદિ મિથ્યાષ્ટિ જીવ, ઔપથમિકસમ્યકત્વ અગર મતાન્તરે ક્ષાપશમિકસમ્યકત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે જ નહિ. કેઈ કઈ જીવવિશેષ માટે એવું પણ બને છે કે–અન્તિમ ભવમાં અને અતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમસમ્યફવ પામે, ક્ષાપશમિકસમ્યક્ત્વને પામે, ક્ષપકશ્રેણિ માંડે, ક્ષાયિકસમ્યકત્વ પામે, ચારિત્રમેહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અને શેષ ચાર અઘાતી કર્મોને પણ સર્વથા ક્ષય કરનારે બનીને મેક્ષને પામી જાય. આ બધુંય અન્તમુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. અહીં મુદ્દો એટલે જ છે કે–ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત્વ ઔપશમિક, ક્ષાશમિક અને ક્ષાયિક, એમાં જે ક્ષાયિકસમ્યકત્વ છે, તેને પ્રગટાવવાને માટે ક્ષપકશ્રેણિ અવશ્યમેવ માંડવી પડે છે અને ક્ષાપશમિકસમ્યક્ત્વની ગેરહાજરીમાં જીવ ક્ષપકશ્રેણિ માંડી શકતે જ નથી. ક્ષાપશમિકસમ્યક્ત્વ તે ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું પણ બને છે, પણ એક વાર જે જીવ સમ્યકત્વને પાયે, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદગલપરાવર્તથી અંદર અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાપશમિકસમ્યકત્વની હાજરીમાં જ ક્ષપકશ્રેણિ અવશ્ય માંડવાને અને ક્ષાયિકસમ્યક્ત્વ આદિને પામીને મેક્ષને પણ પામી જ જવાને, એ નિઃસંશય બીના છે. સંસાર તજવા જેવો લાગે એમ કરવું છે: આવું બધું જ છેને સાંભળવા મળે અને સમજવાને મળે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy