SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ર 1 સમ્યગ્દર્શન-૧ 'ધ પડી ગયા ન હાય, તેા તે જીવ ક્ષપકશ્રેણિના કાળ દરમ્યાનમાં માત્ર દુનમાંહનીયની સાત પ્રકૃતિના ક્ષય સાધીને વિરામ પામતા નથી, પણ ક્ષપકશ્રેણિમાં આગળ વધીને એ જીવ ચારિત્રમેાહનીય કની બાકીની એકવીસેય પ્રકૃતિએના પણ સંપૂર્ણ પણે ક્ષય સાધીને વીતરાગપણાને આત્મસાત્ કરી લે છે અને તે પછી તરત જ જ્ઞાનાવરણીયાદિ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોને પણુ ક્ષીણુ કરી નાખીને કૈવલજ્ઞાનના સ્વામી પણ ખની જાય છે. હવે જે જીવને ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં જ પરભવના આયુષ્યના બંધ પડી ગયા હોય, તે જીવ ક્ષપકશ્રેણિ દ્વારા માત્ર દર્શનમે હનીયની જ સાત પ્રકૃતિને ક્ષીણ કરી નાખીને અટકી જાય છે. એ જીવના ક્ષપકશ્રેણિના પરિણામ દર્શનમેાહનીયની સાત પ્રકૃતિએ ક્ષીણ થતાં ભગ્ન થઈ ગયા વિના રહેતા જ નથી. એવા જીવ જે ક્ષપકશ્રેણિ માંડે છે, તે ક્ષપકશ્રેણિને ખંડક્ષપકશ્રેણિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાયેાપશમિસમ્યફત્ત્વની હાજરીમાં જ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકાય છેઃ ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કમેર્મીની પ્રકૃતિની મૂળમાંથી ક્ષપણા કરી નાખવાની શ્રેણિ. તેમાં, પહેલાં દશ નમેાહનીયની સાતેય પ્રકૃતિની ક્ષપણા થાય છે. દનમેાહનીયની સાતેય પ્રકૃતિની ક્ષપણા સ ́પૂર્ણપણે થઈ ગયા પછીથી જ, ચારિત્રમાહનીયની પ્રકૃતિની ક્ષપણા થાય છે. આમ માહનીય કર્મ સંપૂર્ણ પણે ક્ષીણ થઈ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દેશનાવરણીય અને અન્તરાય એ બાકીનાં ત્રણેય ઘાતી જ્જૈની સ પ્રકૃતિની સપૂર્ણ પણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે માક્ષ સાધવા હાય, તે જીવને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રગટાવવાને માટે જીવે ક્ષપકશ્રેણિ માંડવી જ જોઈ એ. ક્ષપકશ્રેણિ, ચાથા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે છે, પાંચમા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે છે અને છો તથા સાતમા ગુણસ્થાનકે રહેલા જીવ પણ માંડી શકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy