SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા અને તે પછી એ જીવ અનિવૃત્તિકરણ દ્વારા, એ ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુજના ઉદયને પામીને એ જીવ લાપશમિસમ્યવને પરિણામને સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વમેહનીયનાં દળિયાંના ત્રણ પુજ અનિવૃત્તિકરણથી નહિ પણ અપૂર્વકરણથી કરે. દર્શનમેહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ કરીને અટકી જનારની શ્રેણિને ખંડક્ષપકોણિ કહેવાય ? હવે જે જીવ ઔપશમિકસમ્યકત્વને પામીને અગર તે ઔપથમિકસમ્યકૃત્વને પામ્યા વિના પણ ક્ષાપશમિકસમ્યફવને પામે છે, તે જીવ જે શાપથમિકસમ્યકત્વના પરિણામમાં બરાબર સુદઢ રહી શકે અને તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય તથા તે જે ક્ષપકશ્રેણિ માંડવા જેગા પરિણામને પામી જાય, તે તે છવ ાપકશ્રણ માંડીને અનન્તાનુબંધી કષાયની ચાર તેમ જ મિથ્યાત્વમેહનીયની ત્રણ–એમ દર્શન મેહનીયની સાતેય પ્રકૃતિઓને ક્ષપકશ્રેણિના પરિણામ દ્વારા સંપૂર્ણ પણે ક્ષય કરી નાખીને ક્ષાયિકસમ્યકૃત્વને સ્વામી બની જાય છે. ક્ષાપશમિકસમ્યકત્વને પામેલે જીવ જે કંઈ પણ રીતે સમ્યક્ત્વના પરિણામને વમી નાખે નહિ અને એ પરિણામમાં બરાબર ટક્યો રહે, તે એ જીવ ક્ષાયિકસમ્યફવને પામ્યા વિના રહેતે જ નથી. એ જીવ એ જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડે અને એ દ્વારા ક્ષાયિકસમ્યકત્વને પામે એ નિયમ નથી. ભવાન્તરમાં ક્ષાયિકસમ્યકત્વ પામે એવું પણ બને. ક્ષાપશમિકસમ્યકત્વના પરિણામમાં બરાબર ટકી રહેનારા જીવને, જે ભવમાં ક્ષાયિકસમ્યફવની પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં એ જીવને ક્ષપકશ્રેણિ માંડવા માટે પ્રથમ સંહનન આદિ જે સામગ્રી જરૂરી ગણાય છે તે મળી જ જાય છે અને એ જીવમાં શપકર્ણિ માંડવા જેગે પરિણામ પણ પ્રગટી જાય છે. આમ જે જીવ ક્ષય માંડે છે, તે જીવને જો ક્ષપકશ્રેણિ માંડતાં પહેલાં પરભવના આયુષ્યને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy