SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યની ભૂમિકા [ ૧૯૫ અકુલીનતા સ. પુરુષ અકુલીન જણાય તે સ્ત્રીએ શું કરવાનું ? ' એનાય રસ્તા છે. પરણેલે પુરુષ અકુલીન જ છે એવી ખાતરી જે થઈ જાય, તે એ સાધ્વી થવાને માર્ગ લે અથવા સતીને માગે જીવે. સ્ત્રીઓ ધારે તે અકુલીનને કુલીન બનાવી શકે, પણ એવાય પુરુષ હોય કે ઠેકાણે આવે નહિ; તો સમજુ સ્ત્રીઓને સાધ્વી બનતાં અગર સતીના માર્ગે જીવતાં આવડે કે નહિ? સ્ત્રીઓ જે સમજુ હોય અને જો એ ધારે તે એ ઘણી મક્કમ રહી શકે છે. દ્રૌપદીને પાંચ હતા ને ? પણ, પાંચના વાર એ સતી કેવી મક્કમતાથી જાળવતી હતી, એ જાણે છે ? અર્જુનને વારો હય, તે ભીમ કે ચારમાંને બીજે કઈ એ તરફ ફરકી પણ શકે નહિ ! સંયેગવશ પાંચ મળેલા, પણ સતી તરીકે જ એ જીવી, કેમ કે–એ કુલીન હતી. કુલીનને માટે ધર્મપ્રાપ્તિ સુલભ છે : આજે કુલીનતા અને અકુલીનતા જેવી વાત ક્યાં રહી છે? નહિ જ હોય એમ નહિ, પણ આજે તે વર્ણસંકરતા જ કુલીફાલી રહી છે. એને લઈને, સારાં સારાં ગણાતાં કુટુમ્બામાં પણ આચાર-વિચારનું ઠેકાણું રહ્યું નથી. આજે અનાચાર અને અસદવિચારનું સામ્રાજ્ય કેટલું બધું ફેલાયું છે? પહેલાં તે કહેવાતું કે-જાત વગર ભાત પડે નહિ ! કુલીન સ્ત્રી-પુરુષને માટે ધર્મની પ્રાપ્તિને સુલભ માની છે અને એથી ઉત્તમ કુળ–જાતિ વગેરેનું મહત્વ પણ શા માન્ય રાખ્યું છે. આમ છતાં, અકુલીન કુળમાં કઈ જીવ પાપના ઉદયે આવી ગયું હોય, પણ પૂર્વે ધર્મ કરીને આવ્યા હોય અને એના એ પૂર્વભવના સંસ્કાર જાગૃત થાય ને એ ધર્મ પાગી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy