SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [૧૯૩ કુળના જે મનેર છે, તે મનેરના અકાળે ભાંગીને ભુક્કા કરી નાખશો નહિ!”. આટલું કહેવા છતાં પણ, શ્રી વજુબાહુમાં જ્યારે કાંઈ પણ પરિવર્તન થયેલું દેખાતું નથી, ત્યારે ઉદયસુન્દર કહે છે કે-“હજુ તે આપના હાથ ઉપર આ મંગલ કંકણ શોભે છે; તે, આપ વિવાહના ફળસ્વરૂપ ભોગોને તજવાને એકદમ તૈયાર કેમ થઈ ગયા છે?” તેય શ્રી વજાબાહને મકકમ જોઈને, ઉદયસુન્દર છેલ્લે છેલ્લે કહે છે કે-“આ૫ જે આ મારી બેન મનેરમાને એક તણખલાને તજે તેમ તજી દેશે તે પછી, હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત બની ગયેલી એવી આ મારી બેન મનોરમા, જીવશે જ શી રીતે ?” - આમ ઉદયસુન્દરે પિતાને જેટલું કહેવા જેગું લાગ્યું તે બધું કહી દીધું. એવું કહી દીધું કે-શ્રી વજુબાહુએ કરેલા નિર્ણયમાં જરા સરખી પણ કચાસ હોત તે એ બેસી પડ્યા વિના રહેતા નહિ. પણ, શ્રી વજુબાહુને નિર્ણય પાકે હતે. મશ્કરી નિમિત્તા હતી, પણ નિર્ણય તે દિલથી સમજપૂર્વક લેવાયે હતે. એટલે જ, શ્રી વજાબાહુએ ઉદયસુન્દરને જવાબ આપતાં સૌથી પહેલી વાત તે એ કહી છે કે- આ મનુષ્યજમ રૂપી વૃક્ષનું સુન્દર ફી ભાગ નથી પણ ચારિત્ર છે. એટલે કે–આ જન્મને પામીને જે, ચારિત્રને પાયે, તે જ આ જન્મને સુન્દર ફળને પામે. પછી કહે છે કે–“આવી મશ્કરી કરી તેમાં ખેદ કરવા જેવું કાંઈ છે જ નહિ, કારણ કે-મશ્કરી પણ આપણે માટે તે પરમ : અર્થની સાધક જ નીવડી છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદના પાણીનું બિન્દુ જેમ મેતી બની જાય છે, તેમ આપણું મશ્કરી પણ મનુષ્યજન્મના સુન્દર ફળની જનક નીવડી છે.. . : - • : સ. ૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy