SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ જે વી સી ઉતરે છે ૧૯૨ ] સમ્યગુદન-૧ હાથે તે લગ્નનું મીંઢળ બાંધેલું છે અને આ શી વાત કરવા માંડી છે ? અહીં બન્યું છે એવું કે-આ વાતમાં ને વાતમાં શ્રી વજાબાહુએ. સાચે જ દિક્ષા લેવાને મનમાં નિર્ણય કરી લીધું છે. એમને એમ થઈ ગયું છે કે–આ બહુ જ સુન્દર યોગ મળી ગયો ! એટલે જ એમણે સાળાને સહાયક બનવાના વચનને ઝડપી લીધું અને “સાગર જેમ મર્યાદાને લંઘે નહિ તેમ તમે પણ તમારા વચનને લંઘશે. નહિ”—એવી સૂચના આપી દીધી. આવી મનભાવના સાથે શ્રી વજાબાહુ રથમાંથી નીચે ઉતરે છે. જાણે મેહથી મુક્ત બનતા હોય તેમ! શ્રી વજુબાહુ રથમાંથી નીચે ઉતર્યા એટલે મનેરમાં પણ રથમાંથી નીચે ઉતરી અને ઉદયસુન્દર પણ રથમાંથી નીચે ઉતર્યો. શ્રી વજુબાહુ જે શાંતિથી અને જે મક્કમતાથી પહાડ ચઢી રહ્યા હતા, તે જોતાં ઉદયસુન્દરને પહેલા શંકા પડી ગઈ અને પછી ખાતરી થઈ ગઈ કે–આ કુમાર દીક્ષા ગ્રહણ કરવા જ જઈ રહ્યા છે !” એને થયું કે-“આ તે મારી મશ્કરીનું બહુ ગંભીર પરિણામ આવ્યું.” આથી પહાડ ઉપર ચઢતે ચઢતે ઉદયસુન્દર શ્રી વજુબાહુને કહે છે કે-“સ્વામિન્ !” હવે કુમારને બદલે સ્વામિનું કહીને નમ્રતાથી વાત કરે છે. કહે છે કે–સ્વામિન્ ! આજે આપ દીક્ષા ગ્રહણ કરશે નહિ! આપને મેં જે કાંઈ કહ્યું તે કેવળ મશ્કરીમાં જ કહ્યું હતું. મારા એ મશ્કરીના વચનેને ધિક્કાર છે.” વળી કહે છે કે-“આપણે બંનેએ જે વાતચીત કરી, તે કેવળ મશ્કરી રૂપ જ હતી અને મશ્કરીમાં થતી વાતે કાંઈ સત્ય હતી નથી, એટલે મશ્કરીમાં ઉચારેલાં ને આપેલા વચનને ઉલંઘવા એમાં દોષ જેવું કાંઈ છે જ નહિ !” આગળ વચન આપતાં ઉદયસુન્દર શ્રી વજુબાહુને કહે છે કે-“સઘળાંચ કષ્ટમાં હું આપને સહાયક થઈશ, માટે આપ અમારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy