SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [ ૧૭૭ એક વાર એવું બન્યું કે–અવતિની સીમમાં પર રાજ્યનું સિન્ય આવી પહોંચ્યું. પર રાજ્યનું સિન્ય અચાનક આંગણે આવી પહોંચ્યાનું જાણીને, માલવ દેશના રાજાએ એ સિન્યને લઈને લડવા આવનાર રાજાની સાથે સંધિની વાતચીત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ તરત જ રાજ્યમાં તિષને જે મેટ જાણકાર હતું, તેને બેલા; અને, તેને મુહૂર્ત જોવાનું કહ્યું. તિષીએ કહ્યું કે–આજે મધ્યાહ્ન કાળની વેળાથી પૂર્વેની એક ઘડી અને મધ્યાહ્ન કાળની વેળાથી પછીની એક ઘડી, એટલા સમયમાં વિજય નામને યોગ છે અને તે ગ સર્વ કાર્યમાં સિદ્ધિ આપનાર છે. રાજાએ એ વિજ્ય નામના રોગમાં પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો, પણ તે પહેલાં મંત્રી જોડે મંત્રણા તે કરી લેવી જોઈએ ને? આથી રાજાએ શ્રી પેથડશા મંત્રીને બેલાવી લાવવાને માટે પિતાને માણસ મંત્રીશ્વરના ઘરે મોકલ્યા. અહીં બનેલું એવું કે-મંત્રીધર મધ્યાહ્ન કાળની પૂજામાં બેઠા હતા અને વિવિધ પુષ્પોથી પ્રભુજીની અંગરચના કરતા હતા. મંત્રીશ્વર રોજ પિતાના એક માણસને સ્નાનાદિ કરાવીને અને શુદ્ધ વસ્ત્ર પહેરાવીને પિતાની પાછળ બેસાડતા હતા અને એ માણસ મંત્રીશ્વરને પ્રભુજીની અંગરચનામાં જરૂરી પુષ્પ કમવાર આપ્યું જ હતું. એટલે, મંત્રીશ્વરને પુષ્પ લેવા માટે પણ ભગવાન ઉપરથી નજર ખસેડવી પડતી નહિ અને એકાગ્રપણે તેઓ અંગરચના કરી શકતા હતા. રાજાને માણસ મંત્રીશ્વરના ઘરે આવ્યા. મંત્રીશ્વરની પત્નીને તેણે કહ્યું કે-“મહારાજા બહુ અગત્યના કામે જલદીથી મંત્રીશ્વરને બોલાવે છે.” મંત્રીશ્વરની પત્નીએ તેને કહ્યું કે-“હમણાં તે મંત્રીશ્રવર નહિ - મળી શકે, કેમ કે–તેમને આ દેવપૂજાને સમય છે.” સ. ૧૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy