SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] સમ્યગદશન-૧ હૈયે હુંફ શાની છે? ધર્મની કે ધનાદિકની? તમે અહીં કાંઈક શાન્ત બેઠા છો, તેની પાછળ પણ મેટે ભાગે કારણ એ છે કે-ઘર અને પેઢી વગેરે ઠીક ઠીક ગોઠવાઈ ગયું છે! નહિતર ત્યાંનું બરાબર હોય તો અહીં શાતિ ને ? એટલે, હુંફ કોની છે? ત્યાં જરાક વધે જણાય તે તમે ક્યાં છે? અહીં કે ત્યાં ? ત્યાં બધું ઠીક-ઠીક હોય તેય તમને અહીં વધારે બેસવાનું મન ખરું? ત્યાં સમયસર પહોંચવાની વાત ખરી ને ? જે લોકે નેકરી કરે છે તેમની વાત જુદી છે. એ પરાધીન છે. માંડ માંડ નોકરી મળી હોય અને મેડુિં કરે ને શેઠ કાઢી મૂકે તે બીજે ઊભવાની જગ્યા ન હોય, એવાની વાત જુદી. એ અવસરે એમ પણ કહે કે–આજે નહિ અવાય, હમણું નહિ અવાય, વહેલા જવું પડશે, તે એની સ્થિતિ એને એમ કરવાની ફરજ પાડે છે એમ માનવું પડે પણ, અહીં જે ઠીક ઠીક સ્થિતિવાળા છે તે કેમ એવું કહી શકે ? પણ અમે સમજીએ છીએ કે-આ બિચારા અહીં આટલે વખત પણ શાતિથી બેઠા છે તે ત્યાં બધું ઠીક ઠીક છે માટે ! એટલે, તમે જે ધર્મ કરો છો તેમાંય હૈયે હુંફ તે સંસારના સુખની છે, એવું જણાઈ આવે છે! ધર્મની રુચિવાળા જીવને હૈયે ગમે તેવા અવસરે પણ હુંફ ધર્મની હોય કે, ધનાદિકની હોય ? પ્રભુપૂજામાં લીન મંત્રીશ્વર પેથડશાહને એક પ્રસંગ આપણે ત્યાં પેથડશા નામના મંત્રી થઈ ગયા છે. માલવ દેશના એ મેટા મંત્રી હતા. માલવ દેશને રાજા મંત્રીશ્વર પેથડશાને બહુ માનતે હતે. પણ મંત્રી પેથડશા માનતા હતા કે–આ બધું પુણ્યાધીન છે. એટલે, એમને હૈયે હુંફ ધમની હતી, પણ મંત્રીપણું વગેરેની નહિ. આથી જ, મેટા મંત્રીશ્વર હોવા છતાં પણ, પેથડશા ત્રિકાલ શ્રી જિનપૂજા નિયમિત કરતા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy