SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનની ભૂમિકા [ ૧૭૧. ભેગ ભોગવતાં કેટલે કાળ ગયે તેની ખબર પણ રહેતી નહિ. એવામાં મારા ઉપર એવી એક શારીરિક આપત્તિ આવી કે એ વખતે કઈ મારું નાથ બની શક્યું નહિ. કેઈ મને એ રાગથી ઉગારી શક્યું નહિ. બધાં સગાં-વહાલાં ને સ્નેહીજનો જોતા રહ્યા, મુંઝાતા રહ્યા, પણ કેઈ મને ખથી છોડાવી શક્યાં નહિ. એમણે ઉપચાર ઘણું કરાવ્યા, પણ કેઈ ઉપચાર કારગત નીવડ્યો નહિ. એ વખતે મને મારા અનાથપણને ખ્યાલ આવ્યું. મને થયું કે-“આમાંનું કાંઈ જ મને શરણ આપી શકે એમ નથી.”વિચાર કરતાં કરતાં મને લાગ્યું કે-“આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને માટે ખરેખર શરણ રૂપ કાંઈ હોય તે તે એક ધમ જ છે, કે જે ધર્મ પરિણામે જીવને સંસારથી સર્વથા મુકત બનાવી દે છે ! અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ જ ધર્મ ઉપદે છે. મેં નક્કી કર્યું કે હું આ રોગમાંથી છૂટું તે તરત જ આ બધાને તજીને એક માત્ર શ્રી જિનકથિત ધર્મનું શરણ સ્વીકારું ! હવે આ સંસારમાં મારે જિનકથિત ધર્મ સિવાય કાંઈ જ કરવું નથી. મેં આવે નિર્ણય કર્યો અને બન્યું એવું કે–મારી વેદના તરત શમી ગઈ. એ જ વખતે હું માતા-પિતા–ભાઈ–ભગિની–ભાર્યા આદિ સર્વને અને સંસારના સર્વ ભેગેપભેગોને ત્યાગ કરીને ચાલી નીકળે. મેં ભગવાને કહેલા સંયમમાર્ગનું શરણ સ્વીકાર્યું. એને લઈને, આજે હું અપૂર્વ એવા સમતાસુખમાં લીન બની શકે ! હવે કહે રાજનું ! તમે અનાથ છો કે હું અનાથ છું? હું અનાથ હવે તે સનાથ બની ગયો છું અને તમે ?” મહારાજા શ્રી શેણિકને સમ્યક્ત્વની પ્રાપ્તિ ઃ મહારાજા શ્રી શ્રેણિક આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા. એમને પણ પિતાના અનાથપણને ખ્યાલ આવી ગયો. એમને થઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy