SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર ] સમ્યગુદર્શન-૧ પરંતુ ક્ષાપશમિક સમ્યકત્વને પામ્યા વિના જીવ ક્ષાયિક સમ્યફૂલને પામી શકતા નથી. આપણે વાત તે એ છે કે–સમ્યગ્દર્શન પામવા માટે પહેલું શું જોઈએ? શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ જોઈએ ! અને સંસાર ખરાબ છે, એનાથી છૂટવું જોઈએ, એમ લાગ્યા વિના શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ફાવે નહિ. ગ્રંથિદેશે આવેલ જીવ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામી શકે અને ગ્રંથિદેશે પણ જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ આવે છે, પણ એ યથા પ્રવૃત્તિકરણ ઉપગપૂર્વકનું કે જીવના પુરુષાર્થપૂર્વકનું શુદ્ધ ગણાતું નથી. એવા અનાદિ યથાપ્રવૃત્તિકરણથી “નદીલપાષાણ” ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાત કર્મોની અન્તઃકેટકેટિ સાગરોપમ પ્રમાણ સ્થિતિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલે ગણાય. પણ ગ્રંથિદેશે આવેલા છે જે આગળ વધવું હોય, તે એ માટે એની આંખ સંસારના સુખ ઉપરથી ઊઠવી જોઈએ. ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચટેલી ને ચટેલી હોઈ શકે અને માટે જ અભવ્ય અને દુર્ભ પણ ગ્રંથિદેશે આવી શકે છે. હવે તે ગ્રંથિદેશથી આગળ વધવું છે અને એ માટે જીવે સંસારના સુખ ઉપર આંખ બગાડવી જોઈએ. આ સુખમાં મારે નિસ્તાર કરવાની તાકાત નથી, એમ થવું જોઈએ. આ સુખમાં લીન બનવાથી વિસ્તાર તે ન થાય, પણ સંસારમાં વધારે ને વધારે ખૂપી જવાય, એમ જીવને થવું જોઈએ. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણને લાવે : - આપણે એ વિચાર કરવો જોઈએ કે-આપણને સંસારનું સુખ લાગે છે કેવું ? સંસારનું કોઈ પણ સુખ મળે તે તે પુણ્યથી મળે. * इमं प्रन्थिं यावदभव्या अपि यथाप्रवृत्तिकरणेन कर्म क्षपयित्वाऽनन्तशः समागच्छन्ति । –કર્મગ્રંથ-૨, ક–રની ટીકા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy