SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની ભૂમિકા [૧૬. સુખની લાલચ જીવને એવી વળગી છે કે-દુખી જીવ પણ સુખની આશામાં જીવે છે; અને, સુખી જીવ સુખમાં એ ગાંડે બની જાય છે કે- આગળ મારું શું થશે તેની ચિન્તા જ તેને પ્રાયઃ થતી નથી. એ સુખ ઉપરથી આંખ ઊઠે તે ગમે તેટલું સુખ મળ્યું હોય તોય એમ થાય કે-“આ સુખ કાંઈ મારી મુક્તિનો ઉપાય નથી. આ સુખ તો એવું છે, કે જે એને વળગે તેને એ દુ:ખી ર્યા વિના રહે નહિ.” એ જીવ દુખી સ્થિતિમાં હોય તેય એને થાય કે-મારા સુખના લોભે જ મને આ સ્થિતિ પમાડી છે. હવે મારે સંસારને સુખની ઈચ્છા કરવી નથી પણ મુક્તિને ઉપાય શેાધ છે.” “સંસારનું કેઈ પણ સુખ, જે આપણે સાવધ ન હોઈએ તે દુઃખને જ ઉપાય છે. એટલે, આ દુખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાને નહિ પણ મુક્તિ મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ.”—આવું જ્યારે જીવની બુદ્ધિમાં બેસી જાય, ત્યારે જ એને ખરેખરે ધર્મને ખપ પડે. અને, તેની સાથે જ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ શરૂ થઈ જાય. એમાંથી કમસર અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા થવા જેગી સ્થિતિ પેદા થાય અને એમાં વધતે વધતે જીવ સમ્યગ્દર્શન ગુણને પામી જાય. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ક્યારે આવે? સમ્યગ્દર્શન, એ આમ તે આત્માને તથવિધ પરિણામસ્વરૂપ છે, પણ એનાથી નીપજતી અસરની અપેક્ષાએ એમ કહી શકાય કે–સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત એવા જે પદાર્થો છે, તેનું જેવું સ્વરૂપ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે, તેવું સ્વરૂપ જીવને રુચવું તે ! એ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપશમિક. તેમાં, અનાદિ મિથ્યાષ્ટિજીવને પામવાની દષ્ટિએ પહેલું ઔપશમિક સમ્યક્ત્વ ગણાય છે. અમુક મતે ક્ષાપશમિક સમ્યક્ત્વ પણ ગણાય છે. સ. ૧૧. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy