SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા [ ૧૫૧ પદાર્થો પ્રત્યે નિર્મમભાવ પ્રગટે છે, અને એ નિર્મમભાવના પ્રતાપે એ મુક્તિમાર્ગની આરાધના વિના બાધાએ કરી શકે છે. અને તમારી ઈચ્છા પણ એક મુક્તિમાર્ગની આરાધના જ કરવાની છે, માટે તમે એમ જ ઈચ્છે છે કે–બીજુ કાંઈ મળે યા ન મળે, પણ એક બધિ મળી જાય એટલે બસ છે ! એટલે આ શરીર એ તમે પોતે છે એમ પણ તમને લાગતું નથી અને શરીર વગેરે સંસારની કોઈ પણ ચીજ તમારી છે એમ પણ તમને લાગતું નથી, એમ માની લઉં ? હવે તમને જેટલી ઇચ્છા ધર્મની છે, તેટલી ઈચ્છા ચકવતિપણાની પણ નથી ને? ધર્મ હશે તે દાસપણું અને દરિદ્રપણું પણ સુખે પસાર થશે અને ધર્મ નહિ હોય તે ચકવતિ પાણું પણ દુઃખ દેનારું બનશે, એ વાત તમારા હૈયામાં નિશ્ચિત થઈ ગઈ? એટલે હવે તમે ભગવાનની પાસે માગશે તેય ભગવાનનાં ચરણેની ભવે ભાવે સેવા મળે, એવું જ માગશે ને? સંસારથી તરવા માટે. અને મોક્ષને પામવા માટે આ એક જ મંત્ર છે. એટલે મંત્ર જે આજે હૈયામાં બેસી જાય, તે આજે માને કે-મહામંગલ થઈ ગયું. આ મહામંગલને આચરનારો પિતાને સારા સંસારને મંગલ બનાવી શકે. પછી એને મંદિરાદિ ધર્મસ્થાનમાં રહેવું ગમે અને ઘરમાં એ જાય તે ન છૂટકે જાય. જેને તરવાની ઈચ્છા હોય તે સ્ટીમરને બરાબર વળ રહેને ? જ્યાં સુધી ઠેકાણે પહોંચાય ત્યાં સુધી. એમ તમે પણ મેક્ષ ન પમાય ત્યાં સુધી ધર્મસ્થાનને વળગી રહેવાની કાળજી રાખવાને ને ? ઘરે જવું પડે તેમ હોય માટે જવાન અને ધર્મસ્થાનમાં પ્રેમથી રહેવાના ને ? આવું જે તમારું હૈયું બની જાય, તે તમને જે ધનાદિ મળે તેય સફલ અને આ મનુષ્ય જન્મની જે કાકા મળી તેય સફલ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy