SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશનની દુર્લભતા : અનન્તઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં, આ અસાર સંસારમાં બેધિ એટલે કે સમ્યગ્દર્શનને આટલું બધું દુર્લભ અને તેની સાથે એવું મહત્વનું માનવામાં આવ્યું છે કે એ પ્રકારની મહત્તા સાથેની દુર્લભતા, આ સંસારમાં જીવને માટે બીજી કોઈ પણ વસ્તુની હાય, એવું માનવામાં આવ્યું નથી. બાધિ પ્રાપ્ત થયા પછી ચારિત્ર આદિની પ્રાપ્તિને પણ દુર્લભ તરીકે વર્ણવવામાં આવેલ છે, પણ બેધિ એ તે એક એવી દુર્લભ અને મહત્ત્વની વસ્તુ છે કે–એના ગે જ જ્ઞાન સમ્યજ્ઞાનની કટિમાં અને ચારિત્ર સમ્યફ ચારિત્રની કેટિમાં ગણાય છે અને એને અભાવમાં જ્ઞાન પણ સમ્યફ઼જ્ઞાનની કેટિમાં ગણાતું નથી. અને ચારિત્ર પણ સમ્યફચારિત્રની કેટિમાં ગણાતું નથી. સંસારમાં કદાચ ચાહે તેટલું સુખ મળી જાય, તે પણ જ્યાં સુધી આત્માને બોધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી સારામાં સારે જન્મ મળવા છતાં પણ એ જન્મ નિષ્ફળ નીવડે છે. આ સંસારમાં આપણું અત્યાર સુધીમાં અનન્તા જન્મ નિષ્ફળ ગયા છે, તે આ એક બધિની ખામીને લીધે જ ! આ જન્મમાં પણ જે બધિ પામી શકાય નહિ, તે અનન્તા જમેની જેમ આ જન્મ પણ નિષ્ફળ જાય. આટલી બધી સામગ્રીઓને સુયોગ મળવા છતાં પણ જે બેધિ ન પમાય, તે એ કેવું કહેવાય? આટલી સામગ્રીને પામેલા આપણે તે એ નિર્ણય હોવો જોઈએ કે બેધિને પામ્યા વિના આ જીવનને અમે જવા દઈશું નહિ ! કાં તે આપણે બેધિને પામેલા છીએ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy