SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વની મંદતા [ ૧૩૭ કાં તે આપણે આ જન્મમાં જ બેધિને પામવાને નિર્ણય છે, એમ ખરું ને? સમ્યગ્દર્શન વિના સુખી નહિ થવાય : બીજાઓની નજર કેવળ દુન્યવી સુખ તરફ છે અને એથી તેઓ રાજ્યાદિ ઋદ્ધિ-સિદ્ધિને દુર્લભ કહીને અટકી જાય છે, પરંતુ એ બધી સામગ્રી વસ્તુતઃ દુર્લભ નથી. જ્ઞાનીઓ તે કહે છે કે ખરેખરી દુર્લભ વસ્તુ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની અપેક્ષાએ બધી દુન્યવી વસ્તુઓ સુલભ છે. આમ છતાંય માને કે-રાજ્યાદિક મેટી ઋદ્ધિસિદ્ધિઓ અને ભેગસુખની સામગ્રીઓ દુર્લભ છે અને પુણ્યના વશે તે બધી મળી પણ ગઈ, પણ તેનું પરિણામ શું ? એ બધું મળી જાય, પણ સમ્યગ્દર્શન નહિ હોય તે સાચા સુખી થવાશે ખરું ? સમ્યગ્દર્શનના અભાવમાં એ સામગ્રીએ સુખ આપશે કે દુઃખ આપશે ? સુખ આપશે તે કેટલું આપશે અને દુઃખ કેટલું આપશે ? સુખ નામનું ને દુઃખને પાર નહિ ! તમારે સુખી થવું છે કે દુઃખી ? જે સુખી થવું હોય તે એ માટે સૌથી પહેલી આ એક જ વસ્તુ આવશ્યક છે, જેનું નામ છે સમ્યગ્દર્શન. દિલમાં સંસાર હતો માટે અનંતે કાળ ભટકવું પડયું ? અત્યાર સુધી આપણે સંસારમાં ભટક્યા, તે શાથી ભટક્યા ? બાહ્ય દષ્ટિએ ચાર ગતિ રૂપ સંસાર પણ કહેવાય છે અને આંતરદષ્ટિએ વિષયકષાય રૂપ સંસાર પણ કહેવાય છે. વિષય-કષાય રૂપ સંસારના પ્રતાપે ચાર ગતિ રૂપ જે સંસાર, તેમાં આપણે અનાદિકાળથી ભટકીએ છીએ. ચાર ગતિ રૂપ સંસારમાં ભટકતાં ભટકતાં આપણે અને તે કાળ વહી ગયે. આટલા બધા કાળ સુધી ચાર ગતિ રૂપ સંસારમાં આપણે ભટક્યા કેમ? વિષય-કષાય રૂપ સંસાર જીવતે હેવાથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy