SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વને ગાઢ અંધકાર એ સિદ્ધસેન બ્રાહ્મણે, આચાર્ય ભગવાન શ્રીમદ વૃદ્ધવાદસૂરિજી મહારાજાની વાદિવિજેતા તરીકેની ફેલાતી કીતિને સાંભળી; એટલે, એમણે શું કર્યું, તે જાણે છે ? આચાર્યભગવાન ભરૂચમાં છે એમ જાણીને, સિદ્ધસેને પોતે ભરૂચ તરફ પ્રયાણ કર્યું. ભરૂચ નગરની બહાર સિદ્ધસેન આવી પહોંચ્યા, ત્યાં તે કુદરતી રીતે જ આચાર્યભગવાન શ્રીમદ્ વૃદ્ધવાદસૂરિજી મહારાજા તેમને મળી ગયા. આચાર્યભગવાનને જોઈને અને ઓળખીને, સિદ્ધસેને તેઓશ્રીને કહ્યું કે-“મારી સાથે તમે વાદ કરે !” આચાર્યભગવાને જવાબમાં તેમને જણાવ્યું કે–“આપણે વાદ તે કરીએ, પરંતુ વાદને અંગે જ્ય-પરાજ્યને નિર્ણય કરનાર તે જોઈએ ને? અહીં કેઈ એવી ચતુરંગી સભા નથી, એટલે આપણે બે વાદ કરીને તેમાં કેણ જીત્યું અને કેણ હાર્યું, તે કેવી રીતે જાણી શકાશે?” વાદ કરવાને વખત જ આવી લાગે, તે વાદને અંગે જયપરાજયને નિર્ણય કોણ કરશે, તેને નિર્ણય પહેલેથી જ થે જોઈએ ને? નિર્ણય કરનાર ન હોય, તે કેણ સાચો ને કોણ બેટો અથવા કેણ છે અને કોણ હાર્યો, એ કહે કણ? પૂર્વ કાળમાં પણ આચાર્ય ભગવંતેને, વાદ કરીને નિર્ણય લેવાને માટે, રાજાએની પાસે પણ જવું પડ્યું છે. સ. અન્યની પાસે નિર્ણય કરાવવું પડે, તેના કરતાં એમને " એમ સમજાવી દે તે ? કેટલીક વાર સંયોગ જ એવા હોય છે કે–એ સંયોગોમાં અન્યને મધ્યસ્થ તરીકે સ્વીકારીને, એ મધ્યસ્થના નિર્ણયને માન્ય કર–એવી કબૂલાત લેવી અને આપવી, એ અનિવાર્ય થઈ પડે છે. જેનામાં સમજવાની વૃત્તિ હોય અને એથી જ જે સમજવાની માગણી કરે, તેને તે એમ ને એમ જ સમજાવવાનો પ્રયત્ન થાય; પરન્તુ જ્યાં પિતાના મન્તવ્યને જ આગ્રહ હોય અને વાદ કરવાની જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy