SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ]. સમ્યગ્ગદર્શન-૧ પડે તેમ હોય નહિ, ત્યાં સુધી તે શ્રી જિનશાસનના મહાપુરુષે તેવા પ્રકારના ગેરવ્યાજબી વાદમાં ઊતરવાનું પસંદ કરે જ નહિ. આમ છતાંય, જ્યારે વાદમાં ઊતરવું પડે છે, ત્યારે પણ શ્રી જૈનશાસનના મહાપુરુષે વાદીને વાદમાં વ્યાજબી પ્રકારે જીતવાને એટલે બધે આગ્રહ રાખે છે કે–શ્રી જિનશાસનના મહાપુરુષોની એ રીતને જાણીને પણ, ઈતને અચંબે થયા વિના રહે નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામીને, શ્રી સિદ્ધસેન દિવાકર તરીકે સુપ્રસિદ્ધ થયેલા મહાપુરુષ, પૂર્વાવસ્થામાં વિદ્વાન બ્રાહ્મણ હતા. એ સિદ્ધસેન નામના વિદ્વાન બ્રાહ્મણ સાથે, આચાર્યભગવાન શ્રીમદ્દ વૃદ્ધવાદીસૂરિજી મહારાજાને થયેલા વાદની હકીકત તે બહુ જ પ્રચલિત છે. એટલે એ પ્રાયઃ તમે પણ સાંભળી હશે. સિદ્ધસેન બ્રાહ્મણ પિતાના વિદ્યાબલ ઉપર એટલા બધા મુસ્તાક હતા કે–પોતાની પાસે એ ત્રણેય ભુવનના વિદ્વાનને તૃણવત્ માનતા હતા. “સંસારમાં જેટલા પદાર્થો છે તે સઘળાય પઢાર્થોના સ્વરૂપના પારને હું પામેલ છું અને કઈ પણ પદાર્થના જ્ઞાનમાં હું અધૂરા નથી.”—આવી તે એમની માન્યતા હતી. આવી માન્યતા હોવા છતાં પણ અને પિતાના વિદ્યાબલનું પિતાને ભારે ગુમાન હોવા છતાં પણ, એમની એ પ્રતિજ્ઞા હતી કે“વાદમાં જે કોઈ મને જીતે, તેમને હું તેમનાં ચરણને સેવનારે શિષ્ય બની જાઉં !' એમની આ પ્રતિજ્ઞા દંભવાળી નહતી. “હું હારું તોય મારી હારને હું કબૂલ કરું જ નહિ.—એવી મને વૃત્તિ એમની નહોતી. પિતાના વિદ્યાબલનું ગુમાન અસાધારણ કટિનું હતું, પરંતુ એ ગુમાન સાથે એમના હૈયામાં એ પાપ ભાવ નહેાતે જ, કે જે, એમને એમની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ કરે ! પ્રતિજ્ઞા મેટી કરે અને હારે એટલે પોતે કરેલી પ્રતિજ્ઞાને પિતે જ ચાવી ખાય અને પવિત્ર પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયા–એવું લેક માને નહિ, એ હેતુથી કારમે ઉકાપાત મચાવે, એવા પ્રકારનું ગુમાન સિદ્ધસેન નામના એ બ્રાહ્મણમાં નહોતું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005297
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1980
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy