SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ , “અરે..મારા પાપનું પોકળ ખુલ્લું થવા પામ્યું હોય, તે એ અધમતાનું ફળ મારે આજ ભવમાં ભેગવવું પડશે, અને વળી ફજેતી થશે, તે જુદી, અહા ! જે આશાથી તે દુકૃત્ય કરવું પડયું, તે અભિલાષા તે અપૂર્ણ જ રહી. અરે ! તે વખતે કામાવેશમાં મારી અક્કલ ઉકરડા જેવી થઈ ગઈ હતી. રાજભયનો પણ મેં વિચાર ન કર્યો. કારણ કે– “નમિયા, नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः" ॥ એટલે–અધમ જનો રાજદંડના ભયથી પાપ કે અનીતિ આચરતા નથી. સામાન્ય જનો પરલોકની બીકથી અનીતિએ ચાલતા નથી અને ઉત્તમ જને તો સ્વભાવથીજ પાપમાં પગ મૂકતા નથી. અહા ! આ વાકયપર પણ જે મેં વિચાર કર્યો હોત, તે આ વિષમ વખત ન આવત હવે પસ્તાવો કરે નકામે છે.” એ પ્રમાણે અનેક તર્ક વિતર્ક કરતે શ્રીપતિ શેઠ રાજાની સમક્ષ હાજર થયા તે વખતે રાજાનું સ્વરૂપ બહુ ભયંકર લાગતું હતું. પાસે એક મતિસાગર મંત્રી સિવાય બીજું કોઇ નહતું. રાજાની આકૃતિ જોઈને શ્રીપતિ કંપવા લાગ્યા. રાજાએ તેને કટાક્ષ પૂર્વક બોલાવીને પૂછયું-શ્રીપતિ (મંત્રી તરફ જોઈને) આ મહાનુભાવને તું એાળખે છે ? શ્રીપતિ–“હા. નામદાર! હું એમને મોટામાં મેટે અને પરાધી છું. મેં ન કરવાનું કૃત્ય નર્યું છે. હું પ્રચંડ દંડ શિક્ષા ને પાત્ર છું, છતાં એમની દયાથી હું બચી શકું, ' રાજા–મુનીને દયા બતાવીને સજા ન કરનાર રાજા અન્યાયી કરે છે જે તેમ કરવા જાય તે ભવિષ્યમાં તેવા અનેક ખુન થવા પામે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy