SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૭) “ આજે પ્રચંડસિંહનું અચાનક મદિરાથી મરણ થયું, તેમાં કંઈ ભેદ હોય એવું મને શંકા થાય છે.” રાજાએ પ્રગટ વાત કહી બતાવી. આપને તે બાબત કેવા પ્રકારની શંકા થાય છે ?”ાણીએ પ્રશ્ન કર્યો. વખતસર તે કારરતાને મારા માટે રચાયું અને તેમાં પ્રચંડસિંહ ભંગ થઈ પડ હોય એમ મને ભાસે છે.” રાજાએ શંકાનું કારણ પ્રગટ કર્યું. “જે તે શબને અગ્નિદાહ ન દેવાયો હોય, તો તેની તપાસ કરાવી ખરું રહસ્ય મેળવી શકાય રાણુએ રસ્તો બતાવ્યું. હા, ખરી હકીકત જાણવાને તેં એ યુક્તિ ઠીક બતાવી. નહિ તો મને એ રસ્તો ન સૂજત.' રાજાએ સંતોષ બતાવ્યું. પછી રાજાએ તરતજ બે માણસને બોલાવીને કહ્યું કે “શંકર પ્રસાદ વૈદ્યને સત્વર બેલા અને પ્રચંડસિંહના શબને મારી પરવાનગી વિના અગ્નિદાહ દેવામાં ન આવે, તેને બદે. બસ્ત કરે,’ બને નેકર એ બંને કામ કરવાને તરત દેડી ગયા. આ તરફ સમરસેન અને દૂસિંહને વિચાર આવ્યું કે – વખતસર ભેદ ફુટશે અને રાજા જે મુડદાની તપાસ કરાવશે, તો સંકટની સીમા નહિ રહે માટે એને તરત બાળી દઈએ, એમ ધારીને તેઓ શબને મશાન સુધી લઈ ગયા અને બાળવાની તૈયારી કરતા હતા, તેવામાં રાજાના માણસે આવીને તેમને અટકાવ્યા. આથી તેમની ધાસ્તીને પાર ન રહ્યો. શંકર પ્રસાદ રાજવૈદ્ય સાથે રાજા પિતે સ્મશાન ભૂમિમાં આવ્યું. વૈદ્યને રાજાએ અગાઉથી ભેદ સમજાવીને ભલામણ કરી. રાખી હતી, એટલે વઘે આવીને શબને તપાસ્યું, તો ઝેરથી નીપજેલ તેનું મરણ માલુમ પડયું. રાજાની શંકા સાચી ઠરી. છેવટે શબને દાહ દેવરાવવામાં આવ્યો અને સૌ સ્વસ્થાને ગયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy