SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૭). ધર્મ છે. વ્યવહારના વિકટ પ્રસંગોથી પ્રજાને બચાવવામાં આવે તે નિર્વિને ધમાંચરણ કરતી પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ રાજાને મળે છે, પણ રાજા પોતાની ફરજ બજાવતો હોવો જોઈએ. જે રાજા પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે, તે નીતિ અને ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. ઘણીવાર રાજાઓ જે પતિતાવસ્થા પામતા હૈય, તે તેમની પાસે રહેનારા તેમના કારભારીઓને લઈને જ તેમ બને છે. જે સુજ્ઞ ન્યાય નિપુણ અને ધર્મિષ્ઠ કારભારી હાય, તો રાજા પણ ન્યાયી અને ધમી બને છે. અને જે દુષ્ટ દગાબાજ, સ્વાથી, કુર, નિર્દયી અને લંપટ અધિકારીઓની સેબતા રાજાને મળે, તે અવશ્ય તેનામાં તેવાજ સંસ્કારે દાખલ થાય છે. તે ખરી રીતે રજાના હિતકારી સેવકે નથી પણ કેવળ અહિતકારી જ છે તેવા પ્રપંચી પૂતળાઓની સેબતે રાજા પિતાની વહાલી પ્રજાના શ્રાપ હરી લે છે, એ અધમ અધિકારીઓને ચેપ રાજાને જીંદગી સુધી ખુવાર કરે છે. હે પ્રજાપાલ! આપ પિતે વિવેક દષ્ટિથી વિચાર કરશે, તે બરાબર સમજી શકાશે.” એ પ્રમાણે મતિસાગર મંત્રી રાજાને સમજાવીને ચાલ્ય ગયે. આ વખતે પેલા પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ હાજર ન હતા. પ્રધાનના ગયા પછી તેઓ આવ્યા અને કેટલીક વાત ચીત ઉપરથી તેમના જાણવામાં આવ્યું કે–મતિસાગર મંત્રી રાજાને કંઈક આડું અવળું સમજાવી ગયેલ છે.” એટલે તેમણે એકાંત સાધીને વિચાર કર્યો કે –“વારંવાર રાજ જે મંત્રીના સમાગમમાં આવશે અને મંત્રી તેને સમજાવતો રહેશે, તે જરૂર રાજા - પણ હાથમાંથી છટકી જશે, એટલું જ નહિ પણ પછી તે આપણે અહીંથી ભાગવું પણ ભારે થઈ પડશે, માટે કેઈ ઉપાય શોધ પડશે.” એમ બને એકમત થયા પછી પ્રચંડસિંહ બેલ્ય–“ભાઈ દુષ્ટસિહ! એ કેઈ ઉપાય બતાવે કે એ અતિસાગર દિવાન અહીંથી દૂર ટળી જાય. વળી તેમ કરતાં આપણું નામ બહાર ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy