________________
સત્ પુરુષા
૮૧
તે ત્યાગના પણ ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. નિષેધના નિષેધના અર્થ જે રીતે વિધિ હાય છે, તે રીતે ત્યાગના ત્યાગને અર્થ વિષયનું ગ્રહણ થવું એવા થાય છે. (જેમ કે હિંસા ન કરવી તે નિષેધ અર્થાત્ અહિંસા પાળવી તે વિધિ થઈ.) નિર્ભીય થઈને ઇન્દ્રિયવિષયામાં પ્રવૃત્તિ કરવી અને તેને અમૃતકુંભ કહેવે – પ્રરૂપવા તે સ્પષ્ટ સ્વચ્છ ંદાચાર છે. તેમાં કશું કહેવા-વિચારવાના અવકાશ જ નથી.
તું શાંત થા પ્રભા ! જોકે બાહ્ય દૃષ્ટિએ જોવાથી તારા Àાલ તદ્ન વાસ્તવિક છે, છતાં આચાર્યના એવે! અભિપ્રાય નથી. તેઓ ચિત્તશેાધનની અથવા ચિત્તમુક્તિની અર્થાત્ બીજા જગતની વાત કરી રહ્યા છે. વિષયના ગ્રહ-ત્યાગની વાત નથી; તેનાથી પાર સમતાની ભૂમિકાની વાત કરી રહ્યા છે, કે જ્યાં કેાઈ વિધિ કે નિષેધનો અવકાશ નથી. ઇષ્ટઅનિષ્ટ, ગ્રહણુ-ત્યાગ, વિધિ-નિષેધ, ધર્મ-અધર્મ આ સવ વાસ્તવમાં માનસિક વિકલ્પ છે, પરમાર્થભૂમિ પર તેની કોઈ સત્તા નથી.
તેમાં અહંકારની ઊપજ હોવાને કારણે અહીં કેવળ તે વિકલ્પાના ત્યાગ-અત્યાગની ચર્ચા છે, વિષયના ત્યાગ-અત્યાગની ચર્ચા નથી. વિષય ઇન્દ્રિયાની સામે હા કે ન હેા, જો ચિત્તમાં તેના પ્રતિ જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભાતૃત્વની કામના રહી તે તે ઇન્દ્રિય દ્વારા જાણે, કરે કે ભગવે નહિ તેપણુ
મન ચિત્ત દ્વારા તે તે વિષયાને જાણે છે, કરે છે અને ભે।ગવી રહ્યો છે. તેથી ઊલટું જો ચિત્તમાં તે વિષયે પ્રતિ
}
–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org