________________
આગળ વધો
૭૫ દરેક માર્ગમાં વિશ્ન આવે છે તેનાથી ગભરાવાની જરૂર નથી. વીર ડરતે નથી, કંઈ પણ કરી છૂટે છે. તે અટકો નથી, ચાલવા માંડે છે. તેમાં નિઃશંકિત્વ તથા નિકાંક્ષિત્વ ગુણ સાર્થકતા પામે છે.
આ માર્ગ ઉપર સૌ ચાલે છે. સર્વે યાત્રિક છે. કોઈ આગળ છે, કોઈ પાછળ છે. આજે જે આગળ હોય છે તે કાલે પાછળ પડે છે અને જે આજે પાછળ છે તે કાલે આગળ વધે છે. જે સસલાની જેમ અભિમાનપૂર્વક આગળ વધે છે તે કાલે પાછળ પડી જાય છે. અને જે કાચબાની જેમ ધીરજ તથા વિશ્વાસપૂર્વક ધીમી પણ એકધારી ગતિએ. ચાલે છે તે આગળ વધે છે. તેથી આગળ ચાલનારાની ઈર્ષા ન કરે, અને પાછળનાને ઉપહાસ ન કરે. પરંતુ, એકબીજાને સહયોગ કરીને આગળ વધે. ઈર્ષા તથા તિરસ્કારનો ત્યાગ કરીને અન્ય પ્રેરણાનું આદાન પ્રદાન કરે. “પરસ્પરોપગ્રહ છવાનામ' એ સ્થિતીકરણ અંગ છે.
અભિમાનને ત્યાગ કરે. પિતાને મોટો અને બીજાને નાને ન ગણે, સર્વને સમાન માને. કોઈને દેષ જોઈ તેને દોષી ન માને પણ તે તેને રોગ માને. સર્વ સંસારી જી રેગી છે. કોઈને રોગ થડે છે કોઈને વધુ છે. દેવ દર્શાવવાથી વિચિકિત્સા, ગ્લાનિ, તિરસ્કારની ભાવના થાય છે. રેગ કહેવાથી કરુણા, સહાનુભૂતિ, પ્રેમ તથા સારવારની. ભાવનાનો ઉદય થાય છે. તે નિર્વિચિકિત્સા તથા ઉપગૂડના અને વાત્સલ્ય ગુણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org