SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ક રહસ્ય. અભિનય માત્ર રહે છે. બાહ્ય વેષ બદલવાથી વ્યક્તિ બદલાતી નથી, હૃદય બદલવાથી વ્યક્તિ બઠ્ઠલાય છે.. વ્યક્તિત્વ બદલવાથી અટકણ દૂર થાય છે. ૭૪ તમે નિરાશ ન થશે, જે આજે મુક્ત છે તે પણ ભૂતકાળમાં અટકચા હતા. આગળ-પાછળ થતાં આગળ વધતા રહ્યા. નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કયાંક અટકતું અટકતું છતાં પ્રવાહની સાથે આગળ વધે છે અને એક દિવસે તે સાગરમાં પહેાંચી જાય છે. તે પ્રકારે તમે સૌ આગળ વધે. અટકાયત તે સ માર્ગમાં આવે છે, પરંતુ પુરુષાર્થીનું કામ સદા પ્રયત્ન કરતા રહેવાનું છે. સદા એ પ્રકારને સંઘષ ચાલવાના છે. તમે સ્વય આગળ વધી. શકતા નથી, તે મારી આંગળી પકડીને પણ આગળ વધે... અને તમારી આંગળી પકડી મને આગળ લઈ જાઓ. ૨. પરસ્પર-ઉપગ્રહ (ઉપકાર) જીવાનામ્ અનેક પ્રકારની વાત સાંભળીને નિરાશ ન થશેા કે કોઈ તમારાથી આગળ છે તે જોઈને હતાશ થશે નહિ. તેમાંથી પ્રેરણા લઇને આગળ વધે. નિરાશ થશે નહિ. અટકચા વગર પૂર્ણ વિશ્વાસ સાથે ચાલે. જે ચાલવા માંડે છે તેની પાસે સફળતા દાસી થઈને રહે છે. પરંતુ સફળતાની આકાંક્ષા રાખશે! નહિ. ‘હું કયારે પહેાંચીશ' એવી ચિંતા ન કરશેા. આકાંક્ષા રાખવાથી મને સફળતા મળશે કે નહિ તેવી શકા સતાવે છે. વિશ્ર્વ તથા અંતરાયેાના ભય. રહે છે. જ્યાં આકાંક્ષા નથી ત્યાં શંકા કે ભય હાતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy