________________
ધ
વાસ્તવમાં બંને એકબીજાના પૂરક છે. સમતાના અભાવમાં શમતા – વિશ્રાંતિ સંભવે નહિ અને વિશ્રાંતિના અભાવમાં સમતા કેવળ ભ્રાંતિ છે. સમતાના સંબધ સમ્યગ્દર્શનની સાથે છે. વિકલ્પ-વિશ્રાંતિ – શમતાને સંબંધ સમ્યક્ ચારિત્રની સાથે છે. તેથી મેહુ તથા ક્ષેાવિહીન આત્મપરિણામને સમતાસ્વરૂપે કહ્યું છે. મેાહુ એટલે મિથ્યાદૃષ્ટિ અને ક્ષેાભ એટલે વૈકલ્પિક દાડાદોડી અથવા મિથ્યા ચારિત્ર. તે બંનેના અભાવથી આત્માનું વિશુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. તે તેના સ્વભાવ હાવાથી ધર્મ છે. ને જીવનના સહુજ પ્રવાહ હાવાથી ચારિત્ર છે.
૨. સમતા-શમતા
સમગ્ર વિશ્વને એક અખંડ સત્તાના રૂપમાં ન જોતાં તેમાં પ્રતિબંધ લગાવવા તે વિષમતા છે, કારણ કે તેમ કરવાથી મારું-તારું, હું.તું, ઇષ્ટ-અનિષ્ટ, ગ્રહણુત્યાગ, કર્તવ્યઅન્ય, આદિ પરસ્પરવિધી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે. પ્રતિબંધ વગર સમગ્રને જાણે! તે પછી કાણુ મનુષ્ય-પશુ, સ્ત્રી-પુરુષ, બાળક-વૃદ્ધ હશે? અહીં કોઇ વિદ્વાન નથી, કોઇ મૂખ નથી, કોઇ બ્રાહ્મણ કે શૂદ્ર નથી, નાનું કે મેટું નથી. તે પ્રકારે અહીં મારું-તારું, ઇષ્ટ અનિષ્ટ ઇત્યાદિ કઈ નથી. સાક્ષીભાવથી સમગ્ર અવલેકન કરનારાને કોઈ દ્વા અવકાશ જ નથી.
૬૯
જેમ તાત્ત્વિક દૃષ્ટિએ હું આત્મા છું તેમ સર્વે` આત્મા છે. અને જેમ ભૌતિક દૃષ્ટિએ તમે મનુષ્ય છે તે રીતે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org