________________
ધર્મ
ફિક જામ થઇ જશે
૧. ચારિત્ત ખલુ ધો: ચારિત્ર છે તે ધર્મ છે
હદય તથા પ્રેમના વિષયમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે તથા આત્મોન્નતિ કે ગુણપ્રાપ્તિની સર્વ પારમાર્થિક ભાવનાઓની અનુગતિ તથા આવશ્યકતા દર્શાવી છે તે સર્વ જીવનનું અતિ મહિમાવંત અંતિમ સારતત્વ છે. ભેગાસક્તિ જીવનનું બહિર્મુખ અને શુદ્ર સ્વરૂપ છે. મૈત્રી, પ્રદ, કરુણા તથા મધ્યસ્થતા આદિ તેનું અંતર્મુખ આધ્યાત્મિક સ્વરૂપ છે. જે બહિર્મુખ હોવાથી પતનનું કારણ બને છે. તે જ અંતર્મુખ બનવાથી સાક્ષાત્ ધર્મ બની જાય છે. “વારિત્ત રજુ ધમ્મ, ધ વો સે સોનિ દો .. मोहक्खोह विहीणो परिणामो अपणो हु समो ॥"
ચારિત્ર એ જ ધર્મ છે. વ્યવહારભૂમિ ઉપર અશુભ વિષયેની નિવૃત્તિ તથા શુભ વિષયેની પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર કહે છે. પરંતુ વાસ્તવિકપણે તે ચારિત્ર નથી. તે ચારિત્રને હસ્તગત કરવાનાં સાધને માત્ર છે કે સાધન વગર સાધ્યની પ્રાપ્તિ થતી નથી. જેમ કે ઈ માર્ગના જોડાણ વગર ગંતવ્ય સ્થાન પર પહોંચી શકાતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org