SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય મને તેવી આવશ્યક્તા નથી–આ પ્રકારના ભાવ તે અહંકાર કે અભિમાન છે, તે પરમાર્થઘાતક છે. એવી વ્યક્તિને શાસ્ત્રનું બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તવદષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી. તે કથંચિત્ તત્વની ચર્ચા કરી શકે છે પણ તાવિક દષ્ટિથી પિતાને તથા સમસ્ત વિશ્વને જાણી શકે તેવી ગ્યતા તેનામાં પ્રગટ થઈ શકતી નથી. આત્મા અને દેહ ભિન્ન છે' એવું રટવું માત્ર તત્વદષ્ટિ નથી. બાહ્ય તથા અત્યંતર બંને જગતમાં સર્વત્ર એક તથા અખંડ અવસ્થા છે, સર્વ તેને આધીન ચાલે છે, ત્યાં કઈ કઈને કંઈ કરી શકતું નથી, કે ભગવી શકતું નથી. તે એક અખિલ પ્રવાહ છે. તે પ્રવાહિત છે અને રહેશે, એ પ્રકારના તત્પલેકમાં પ્રવેશ પામ તે ગુરુકૃપા વિના શક્ય નથી. ગુરુની પરીક્ષા કરવી શક્ય નથી. તેવી વાત કરનારો અભિમાની છે. વિનયશીલ પરીક્ષા કરવા ઈચ્છતું નથી. તે તે કેવળ શરણાગત થવાનું જ જાણે છે. પિતાના સમગ્ર વ્યક્તિત્વને તે સમર્પણ કરી દે છે. અભિમાનીને કોઈ પિતાથી મોટું અથવા ગુણવાન જણાતું જ નથી. તે કોઈને ગુરુ તરીકે કેવી રીતે સ્વીકાર કરી શકે? જે ગુરુ જ નથી તે પરીક્ષા કોની ? તેના મગજમાં ભગવાન મહાવીર કે ગુરુપદ લખાયું જ નથી. જે કદાચ લખાયું હોય તે તે કદી વિશ્વાસ જ નહિ કરે. કારણ કે તે લેખન કૃત્રિમ હોય છે. જે સર્વને શંકાશીલ દષ્ટિથી જુએ છે. તે કેઈની પરીક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy