SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય શાસ્ત્ર અધ્યયન અથવા ગુરુના ઉપદેશથી તોની શ્રદ્ધા થાય છે, તે ઉત્તરોત્તર જીવમાં પરિણામ પામીને તે તત્વની પ્રત્યક્ષ પ્રતીતિ કરવા લાગે છે. સમયસારજીમાં ભૂતાથેનાભિગતા નવ તત્ત્વા કહેવામાં આવ્યું છે. તે જ પ્રતીતિ કમશઃ અનાત્મતને (અજીવ, આસવ, બંધ) છેડીને આત્મતત્ત્વમાં રસ લેવા લાગે છે. તે સમયે તે આત્મરુચિ કહેવાય છે. તે આત્મરુચિ જ્યારે સર્વને તાવિકદૃષ્ટિથી જાણે છે, જુએ છે ત્યારે તે તત્વસ્પર્શ કહેવાય છે. અહીં હદયના દ્વારનું ખૂલી જવું, તેને સેળ કારણે ભાવના પૈકી દર્શન વિશુદ્ધિ કહે છે. આ સાધકની દૃષ્ટિ સર્વાત્મામાં સમાન વતે છે. વિશુદ્ધિને પ્રાપ્ત કરીને આત્માનું અભિમાન ગળી જાય છે અને તેનું સ્થાન વિનય લે છે. અન્ય ભાવનાઓ વિનયને વિસ્તાર છે. દર્શનને ક્ષેત્રમાં એ દર્શનવિશુદ્ધિ કહેવાય છે, ચારિત્રના ક્ષેત્રમાં તે નિરતિચાર શીલવ્રત કહેવાય છે અને ત્યાગ તથા તપના ક્ષેત્રમાં તે ત્યાગ અને તપશક્તિ કહેવાય છે. આચારશાસ્ત્રોમાં એને દર્શનઆરાધના, જ્ઞાન-આરાધના, ચારિત્ર-આરાધના તથા તપારાધના કહેવાય છે. આ ગુણે પ્રતિ બહુમાન હોવું તે વિનયનું લક્ષણ છે. આ ચતુર્વિધ આરાધનાના પ્રગટ થવાથી ચિત્ત સમાહિત, આશ્વસ્ત તથા શાંત થઈ જાય છે. તે સાધુ-સમાધિ છે. વાસ્તવમાં એકાગ્રચિંતા નિરોધ લક્ષણવાળાધ્યાનની આરાધના અથવા વિનય છે. એ પ્રકારે આવશ્યક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy