________________
વિનય
જટા હ »
concenefitછiews
હૃદયગત ભાવકના લૌકિકક્ષેત્રમાં જે સ્થાન વૈષયિક પ્રેમને પ્રાપ્ત થાય છે તે સ્થાન આ પારમાર્થિક ક્ષેત્રમાં વિનયને પ્રાપ્ત થાય છે. વિનય જ પ્રેમનું રૂપાંતરણ છે, જેનું સ્થાન હૃદય છે, ચિત્ત-બુદ્ધિ નથી. બૌદ્ધિક વિકાસ થવાથી, હૃદયનું દ્વાર ઊઘડી જાય તેવું આવશ્યક નથી. બુદ્ધિ દ્વારા તત્ત્વોને સમજવાવાળી, અને પોતાની બૌદ્ધિક સમાજમાં તત્વજ્ઞતાની ભ્રાંતિ કરવાવાળી વ્યક્તિનું હૃદય શૂન્ય રહે છે. એ યોગ્યતા પ્રગટ થતાં પહેલાં શિષ્ટાચાર પ્રમાણે તેની પાસે જે અધિક વિનય તથા નમ્રતા હતી તેને પણ લેપ થઈ જાય છે, અને તેનું સ્થાન જ્ઞાનાભિમાન લઈ લે છે. ૧, સમ્યકત્વનું અંગ
- અભિમાની વ્યક્તિ પિતાને મહાન સમજે છે, પરંતુ પરમાર્થતઃ તે ક્ષુદ્ર બનતી જાય છે. વિનયવાન વ્યક્તિને પિતાને દોષ અને અન્યના ગુણ જણાય છે. અને તેથી પિતાના દોષ પ્રત્યે બેદ અને અન્યના ગુણે પ્રત્યે પ્રેરણા થાય છે. તેથી તેનામાં દેશની હાનિ અને ગુણોની વૃદ્ધિ થઈ શકે છે. તત્ત્વદષ્ટિસંપન્ન વ્યક્તિમાં આ સ્વાભાવિક છે તેથી ઉપગૃહન ગુણ સમ્યગદર્શનનું અંગ મનાય છે. તેનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org