________________
૫૯
ભાવના
ચિંતન પ્રધાન છે, તેમાં સવેગ તથા વૈરાગ્યના ભાવ અવશ્ય હાય છે. જગતના અનિત્ય આદિ પદાર્થોને વિચાર કરતાં સંસાર પ્રતિ ભવભીરુ થવું તે સંવેગ કહેવાય છે. તે પ્રકારે સંસારની અશુચિતાનું ચિ'તન કરતાં તથા અંદરના કાણુ શરીરના સ્વભાવનું ચિંતન કરતાં કર્મો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પ્રકારે હાર્દિક અભિલાષાના અભાવમાં ભાવેલી ભાવના કેવળ શાબ્દિક પાઠ છે, તે પ્રકારે સંવેગ તથા વૈરાગ્યની સ્ફૂર્તિના અભાવમાં અનિત્ય, અશરણુ આદિનું ચિંતન કેવળ શાબ્દિક પાઠ છે. એથી ભાવના ભાવવાની દૃષ્ટિએ જોતાં જે પ્રકારે આપણે ભાવનાઓને અનુપ્રેક્ષા કહી શકીએ છીએ તે પ્રકારે સંવેગ તથા વૈરાગ્યભાવની સ્ફુરણાની દૃષ્ટિએ જોતાં અનુપ્રેક્ષાને આપણે ભાવના કહી શકીએ.
કૃત્રિમપણે ભાવના ભાવવી અથવા તેનું કેવળ મૌખિક રટણ કરવું એ ભાવના તથા અનુપ્રેક્ષાના અભિનય છે, નિષ્ઠાપૂર્વક આત્મકલ્યાણુ માટે પ્રાર્થનાપૂર્વક ભાવેલી એ ભાવના વાસ્તવિક અને છે ખરી પણ વર્તમાનમાં તેમ થતું નથી. તેને અથ એ નથી કે ભાવના ભાવવી નહિ. અહી સૈદ્ધાંતિક સત્ય-અસત્યને નિ ય દર્શાવવામાં આવ્યા છે, ક વ્ય-અક વ્યના નહિ. સાધનાના દરેક ક્ષેત્રમાં પ્રથમની પ્રવૃત્તિ કૃત્રિમ ભલે હોય, પર`તુ તે સ્વાભાવરૂપે પ્રવેશ કરી શકે છે. અને સહુજ અને છે ત્યારે તે પ્રવૃત્તિ નહિ પણ ધર્મ કહેવાય છે. માટે ભાવના અવશ્ય ભાવવી અને તેને સ્વભાવગત કરવા પુરુષાથ કરવે.
*
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org