________________
પ૭
ભાવના
અંતર છે. કોઈ પણ એક વિષયનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. તે જ્ઞાનને એક પર્યાય છે, અને ચિત્તનું કાર્ય છે. ભાવનાનું સ્થાન હૃદય-લોકમાં છે, જ્ઞાન કે ચિત્તમાં નથી. અનુપ્રેક્ષામાં અહં ઈદં પૃથક્ હોય છે અને ભાવ કેવળ સંવેદનશીલ હોય છે. અનુપ્રેક્ષાને વિષય બહારને હોય છે, પરંતુ ભાવના સ્વયં અંદરમાં જ પ્રતીત થાય છે. અનિત્ય, અશરણ આદિ અનુપ્રેક્ષા છે, ભાવનાઓ નથી. તેમાં બહારને વિષય ચિંતનરૂપે હોય છે. જ્યારે મૈત્રી, પ્રમોદ, કરુણુ તથા માધ્યશ્ય ભાવનાઓ છે. અનુપ્રેક્ષા વૈરાગ્ય ભાવને પ્રેરક છે, સ્વયં વૈરાગ્યરૂપ નથી. હૃદયમાં વૈરાગ્યભાવ ઉદય થવાથી અનુપ્રેક્ષા, ચિંતન, અથવા ચિત્તનું અવલંબન છૂટી જાય છે, પરંતુ હૃદયનું અવલંબન છૂટી જતું નથી. અનુપ્રેક્ષા પરંપરાગત ભલે ભવનાશિની હોય પરંતુ ભાવના જે પ્રકારે સાક્ષાત્ રૂપે ભવનાશિની છે, તે પ્રકારે તે નથી. અનુપ્રેક્ષાથી તીર્થંકરનામકર્મને બંધ થત નથી પણ ભાવનાઓના નિમિત્તથી થાય છે.
અનુપ્રેક્ષા તથા ચિંતન કરી શકાય છે પરંતુ ભાવ થઈ જાય છે, તે કરી શકાતું નથી. ભાવ શબ્દની વ્યુત્પત્તિ કહેવું” અર્થમાં પ્રયુક્ત મૂ-મર ધાતુથી છે. કરવું એ અર્થમાં પ્રયુક્ત ધાતુથી નથી. ભલે “ભાવના ભાવે, “સોળ કારણ ભાવનાઓ ભાવવાથી તીર્થંકરનામકર્મના બંધ થાય છે ઈત્યાદિ પ્રકારે ભાવનાના ક્ષેત્રમાં કર્તુત્વને ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ ઉપદેશ તથા પ્રેરણારૂપ હોવાથી તે ઉપચાર-કથન છે. તે પ્રકારે સોળ કારણ ભાવનાના લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org