________________
ભાવના
૧, પ્રધાનતા
હૃદયનું લેક જગત, ભાવ-લેક-જગત કહેવાય છે. દઈ, શૂળ, વ્યથા, સહાનુભૂતિ, પ્રેમ, રસાસ્વાદન, સંવેદન, આસક્તિ, વિરક્તિ, રાગ-વૈરાગ્ય, સંવેગ, મૈત્રી, પ્રમેહ, વિનય, ભક્તિ, કરુણા, દયા, મધ્યસ્થતા, ઉપેક્ષા આદિ સર્વ પ્રકારે ભાવ કહેવાય છે. “ભાવ સહિત વંદે જે કઈ આ પંક્તિને “ભાવ” શબ્દ તથા “ભાવના ભવનાશિની” આ પંક્તિને “ભાવ” શબ્દ વાસ્તવમાં હૃદયને સંકેત કરે છે. જ્ઞાન અને ચિત્તને તે શબ્દ સંકેત કરતું નથી. તેને શાસ્ત્રમાં પરિણામવિશુદ્ધિ અથવા હદયશુદ્ધિ કહેવામાં આવે છે. પાંચ લબ્ધિમાં તેને વિશુદ્ધિ લબ્ધિનું નામ આપવામાં આવ્યું છે. અને સેળ કારણ ભાવનાઓમાં તેને દર્શન-વિશુદ્ધિ નામ આપવામાં આવ્યું છે. ભાવશૂન્ય કે હદયશૂન્ય રીતે થતાં સમસ્ત ત્યાગ, તપ, શાસ્ત્રાભ્યાસ તથા પ્રવચન, લેખન સર્વ શુષ્ક તથા નિમ્પ્રાણ છે. શાસ્ત્રમાં તે સર્વને બાળ-તપ, અજ્ઞાન, કહીને વ્યર્થ દર્શાવ્યાં છે. ૨, અનુપ્રેક્ષા તથા ભાવનામાં અંતર
વ્યવહારભૂમિમાં અનુપ્રેક્ષાને ભાવના કહેવામાં આવે છે. પરંતુ તવદષ્ટિથી જોતાં તે બંનેમાં આકાશપાતાળનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org