________________
પપ
વાત્સલ્ય પ્રધાનતા ધારણ કરે છે. પાંચદસ વ્યક્તિમાં સંકળાયેલું તેનું આ કૌટુંબિક વ્યક્તિત્વ સામાજિક ક્ષેત્રમાં વ્યાપ્ત બને છે ત્યારે તે વિશાળ બને છે. ત્યારે તેનું વાત્સલ્ય મૈત્રીના રૂપમાં પરિવર્તિત થાય છે.
આ મૈત્રી સમાજના કોઈ ધાર્મિક અને અથવા ગુણીજમાં સદૂભાવ પ્રાપ્ત કરે છે ત્યારે તે પ્રમેદ અથવા ગુણાનુદના બની જાય છે. માતા-પિતા, વૃદ્ધો આદિમાં તે મૈત્રી વિનયનું રૂપ ધારણ કરે છે. દેવ, શાસ્ત્ર તથા ગુરૂનું શરણ પ્રાપ્ત કરીને તે શ્રદ્ધા તથા વિનયની સાથે ભક્તિ ભળે છે. એ મૈત્રી સમાજના કોઈ દુઃખી, પીડિત, દીન-હીન આદિ પ્રત્યે કરુણાનું રૂપ ધારણ કરે છે. દયા, દાન, સેવા આદિના રૂપમાં તે અભિવ્યક્ત થાય છે. સમાન કક્ષાની વ્યક્તિઓ પ્રતિ કરેલું દાન સમદત્તિ કહેવાય છે, દુઃખીજને પ્રતિનું દાન દયાદત્તિ, ગુરુજને પ્રત્યે કરેલી દાન-ભક્તિ પાત્રદત્તિ તથા સતાન પ્રતિ કરેલું દાન સર્વદત્તિ કહેવાય છે. અધાર્મિક, પાપી તથા વિપરીત બુદ્ધિવાળી
વ્યક્તિઓ પ્રતિ આ મૈત્રી જ ઉપેક્ષા અથવા મધ્યસ્થતા ધારણ કરે છે. આ પ્રકારે સર્વત્ર હદયની વ્યાખ્યાને જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org