________________
પ
તેથી પ્રેમ થાય છે, કરી શકાતો નથી' તે આ વિષયને મહાન સિદ્ધાંત છે. ૩. આત્મસાત તન્મયતા
આ વિષયમાં બીજી વાત છે તન્મયતા કે આત્મસાત્વસાધન – કરણ. માતા પિતાના બાળકને ગળે લગાડીને સર્વ કંઈ ભૂલી જાય છે. કારણ કે તે તેની સાથે તન્મય થઈ જાય છે. તે બાળકને પિતાના હૃદયમાં સમાવી લેવા ચાહે છે. તેને પ્યાર કરું છું એ અહં ઈદ રૂપ ભિન્નતાની પ્રતીતિ તે સમયે તેને થતી નથી. હું અને બાળક એવું દ્વૈત ત્યાં નથી. હું બાળક રૂપ છું, બાળક તે હું છું. બહારની જનતાને બે પૃથફ જણાય છે, પરંતુ માતાની અંદર બે નથી. તેનું નામ આત્મસાત્ કરણ અથવા તન્મયતા કે તાદાભ્ય છે. કઈ પણ પદાર્થને ભેગવતી વખતે જેમ “હું આનો સ્વાદ લઈ રહ્યો છું એ વિકલ૫ હેતે નથી, કેવળ રસાસ્વાદન માત્ર રહે છે. તે પ્રકારે પ્રેમ, દર્દ, સહાનુભૂતિ, કરુણા આદિ સમસ્ત સંવેદનાઓને જાણવી. એ ઉપરથી એ સિદ્ધાંતનો નિર્ણય કર કે હદયગત ભાવમાં ભિન્નતાની પ્રતીતિ હોતી નથી. જ્યાં દૈત – ભેદ છે ત્યાં જ્ઞાન છે, તે જ ચિત્ત છે અને જ્યાં અદ્વૈત – અભેદ છે, તન્મયતા છે ત્યાં હૃદય છે. કેવળ રસાસ્વાદન જ તેનું સ્વરૂપ છે. પછી ભલે તે રસ ગમે તે કેમ ન હોય! ૪. તત્ત્વ-ઉન્મુખતા
જગતમાં વિષયે—ખતાને કારણે લૌકિક ક્ષેત્રમાં હૃદયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org